પ્રભુ ચરણના દિવ્ય દર્શન : કાળા ગ્રેનાઈટની બાળ સ્વરૂપ પ્રતિમાની પ્રથમ ઝાંખી

  • January 19, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આખરે જે ઘડીની દેશવાસીઓ અત્યતં આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી પહોચી છે. અયોધ્યાના ગર્ભગૃહમાં પ્રતિિત થનારા રામલલ્લાની પ્રથમ ઝલક સામે આવી છે. ગર્ભગૃહમાંથી જાહેર કરાયેલી રામલલ્લાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોઈ શકાય છે. મૂર્તિના પ્રથમ દર્શન થતા જ ત્યાં હાજર સૌ કોઈની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ હતી. કાશીના આચાર્ય ગણેશ્વર દ્રવિડ અને આચાર્ય લમીકાંત દીક્ષિતના નિર્દેશનમાં પૂજા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રામલલ્લાની સ્થાવર મૂર્તિ હજુ પણ ઢંકાયેલી છે. જે કવર આવતીકાલે દૂર કરવામાં આવશે. હાલ માત્ર ઢંકાયેલી મૂર્તિની જ પૂજા કરવામાં આવી હતી. રામ લલ્લાની સ્થાવર મૂર્તિ, ગર્ભગૃહ અને યજ્ઞમંડપનો પવિત્ર નદીઓના પાણીથી અભિષેક કરવામાં આવ્યો હતો. પૂજા દરમિયાન જ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના જલધિવાસ અને ગાંધધિવાસ થયા હતા.

આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અણ યોગીરાજ દ્રારા કૃષ્ણશિલામાં તૈયાર કરવામાં આવી છે. અણની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી હતી. તેમના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર હતા. તેમના દાદા બસવન્ના શિલ્પી મૈસુરના રાજા દ્રારા સુરક્ષિત હતા.

રામ મંદિરના ગર્ભગૃહમાં સુવર્ણ સિંહાસન પર રામલલ્લાની ૫૧ ઈંચની સ્થાવર મૂર્તિનો અભિષેક કરવામાં આવનાર છે. મંદિરમાં તેમની જંગમ મૂર્તિ એટલે કે ઉત્સવ મૂર્તિ તરીકે પૂજા કરવામાં આવશે. વિરાજમાન રામલલ્લાની ઉપેક્ષાના મુદ્દે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્પષ્ટ્ર કહ્યું છે કે વિરાજમાન રામલલ્લા કેસ જીતી ગયા છે. તેમને કેવી રીતે દૂર કરી શકાય? તેમને પણ નવા બંધાયેલા ગર્ભગૃહમાં પવિત્ર કરવામાં આવશે. ત્યાં દરરોજ તેમની પૂજા અને આરતી થશે. સ્થાવર મૂર્તિ સ્થાપિત કર્યા પછી ખસેડી શકશે નહીં, તેથી બેઠેલા રામલલ્લા અહીં ઉત્સવની મૂર્તિ તરીકે પૂજનીય રહેશે. તહેવારો અને પ્રસંગોએ આ ઉત્સવ મૂર્તિ સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવશે.
ગઈકાલે મંડપ્પા પૂજામાં મંદિરની કમાન, દ્રાર, ધ્વજ, શક્ર, ધ્વજ, દિકપાલ અને દ્રારપાલની પૂજા કરવામાં આવી હતી. જયારે પાંચ વૈદિક આચાર્યેાએ પણ ધાર્મિક વિધિના ભાગ પે ચાર વેદનો પાઠ કરવાનું શ કયુ છે. આ ઉપરાંત ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર થશે. અરણિમંથન દ્રારા પ્રગટેલા અિની સ્થાપના થશે, ગ્રહોની સ્થાપના થશે, અસંખ્ય દ્રપીઠોની સ્થાપના થશે અને મુખ્ય દેવતાની સ્થાપના થશે. આ ઉપરાંત રાજારામ, ભદ્રા, શ્રી રામયંત્ર, બીથદેવતા, અંગદેવતા, વાપરદેવતા, મહાપૂજા, વણમંડળ, યોગીનીમંડલ સ્થાપના, ક્ષેત્રપાલમંડળ સ્થાપન, ગ્રહહોમ, સ્થાનપ્યદેવહોમ, પ્રસાદ વાસ્તુશાંતિ, ધન્યાધિવાસની સાંજની પૂજા અને આરતી થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application