ખેતીની જમીનમાં ગેરકાયદેસર કરેલ દબાણ દુર કરી માલિકને પરત કરી આપવાનો હુકમ કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ

  • January 11, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ કામના એપેલેન્ટો કીર્તીબા ભરતસિંહ ઝાલા, હરિશ્ર્ચંદ્રસિંહ ભરતસિંહ ઝાલા, પ્રીતીબા ભરતસિંહ ઝાલા વા/ઓ, જયેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રવિજયસિંહ ભરતસિંહ ઝાલાની સંયુકત માલીકી કબજા ભોગવટાની જમીન લોઢીયા ગામે રેવન્યુ સર્વે નં. 78-1 પૈકી 5 વાળી હે.આર. 1-61-88 થી આવેલછે આ જમીન એપેલેન્ટ નં. 1ના પતિ તથા એપેલેન્ટ નં. ર થી 4ના પિતા રીટાયર્ડ સૈનિક હોવાથી સરકાર દ્વારા તેઓનેખેતીની જમીન આપવામાં આવેલ હતી, આ કામનાં રિસ્પોન્ડન્ટો કારા કુરજી, પરસોતમ કુરજી, રતીલાલ કુરજીની લોઢીયા ગામ રહી તેમનીપોતાની ખેતીની જમીન આવેલ હોયજેમાંખેતી કામ કરેછે, રિસ્પોન્ડન્ટોની આ જમીન એપેલન્ટોની જમીનથી દક્ષિણ તરફ આવેલ છે.


એપેલેન્ટો જામનગર રહેતા હોય પોતાની ખેતીની જમીનમાં મજુરો મારફત ખેતી કામ કરાવે છે તેથી મોટેભાગે એપેલેન્ટોની પોતાની ખેતીની જમીન પર ગેરહાજરી હોવાથી રિસ્પોન્ડન્ટોએ એપેલન્ટોની જમીનમાં દક્ષિણની બાજુ દબાણ કયર્નિું એપેલેન્ટોને જણાતા એપેલેન્ટોએ દબાણ વહેલાસર દુર કરવા સમજાવતા રિસ્પોન્ડન્ટોએ દબાણ દુર નહીં થાય તમારાથી થાય તે કરી લેજો તેવો જવાબ આપવા માટે નાછુટકે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મળવા અંગે, તથા દબાણ ખુલ્લુ કરાવવા અંગે જામનગરનાં પ્રિન્સીપાલ સીનીયર સિવીલ જજ સમક્ષ દાવો દાખલ કરેલ હતો, જેદાવો જામનગરનાં મહેરબાન ત્રીજા એડી. સીનીયરસિવિલ જજની કોર્ટમાં ચાલી જતા એપેલન્ટોનો દાવો નામંજુર કરેલ હતો, જે હુકમની નારાજ થઇ એપેલન્ટોએ જામનગરનાં ધારાશાસ્ત્રી મારફત જામનગરનાં ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સમક્ષ અપીલ દાખલ કરેલ હતી જે અપીલ ચાલી જતાં એપેલેન્ટોની અપીલ મંજુર કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application