પોરબંદર જિલ્લા કલેકટર એસ . ડી.ધાનાણીની અધ્યક્ષતામાં કલેકટરની કચેરી સભાખંડ પોરબંદર ખાતે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઇ હતી.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેર અને તાલુકામાં રાવળા હક્ક વાળા મકાનો જમીનો નિયમિત કરવા, બોખીરા આવાસ યોજના પાસે સાધુ સમાજ માટે જમીન નીમ કરવાં,પોરબંદરથી મીયાણી નેશનલ હાઈવે પર કુછડી ગામે ૧ કિ.મી.સર્વિસ રોડના બન્ને બાજુ, કાટેલા ગામે સર્વિસ રોડ, રાતડી, પાલખડા ગામે અન્ડર પાસ,વીસાવડા, ટુકડા, ભાવપરા ગામે સર્વિસ રોડ,બગવદર ખંભાળીયા રોડ અને પોરબંદર બાયપાસ પાસે ડાબી બાજુ સર્વિસ રોડ બનાવવા, કોલીખડા બોખીરા અને પોરબંદર બગવદર રોડ ખાતે ડ્રેનેજ બનાવવા, પોરબંદરમાં સમરસ હોસ્ટેલ માટે જમીન ફાળવવા,ખેતીની જમીનની માપણી સહિતનાં પ્રશ્ર્નો રજૂ કર્યા હતા તેમજ અગાઉ રજૂ કરેલાં પ્રશ્ર્નો બાબતે થયેલી કામગીરીની વિગતો મેળવી હતી.
કલેક્ટરએ વિવિધ વિભાગોના પ્રશ્ર્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્ર્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ રજૂ થયેલા વિવિધ પ્રશ્ર્નોનુ વહેલી તકે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા.
આ સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પીવાનાં પાણીને લગતા કામો પૂર્ણ કરવા, ગટરને લગતાં પ્રશ્નો,નેશનલ હાઇવે ઓથોરિટીને લગતા પ્રશ્નો, સરકારી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, જન પ્રતિનિધીઓના રેફ્રન્સ પત્રો નિકાલ સહિતનાં પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યાં હતાં.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર,જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, ડી.સી.એફ. લોકેશ ભારદ્વાજ,જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્રસિંહ રાયજાદા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech