હળવદનું વર્ષેા જૂનું ઐતિહાસિક સામંતસર સરોવર જે પહેલા લોકો માટે ઉપયોગી હતું પરંતુ આજે તત્રં દ્રારા યોગ્ય જળવણીના અભાવે આ તળાવ બિન ઉપયોગી બન્યું છે હળવદ સામતસર તળાવ અગાઉ સ્વચ્છતા તથા વિકાસ્ માટે લાખો પિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સામંતસર સરોવર સફાઈ કરી ઐંડા ઉતારવા તરફ તત્રં બે ધ્યાન લાગતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, આ તળાવની સફાઈ કરી તળાવને ઐંડા ઉતારી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો લોકોને હરવા ફરવા માટે નવી સુવિધા મળી શકે તેમ છે આથી તળાવની સફાઈ કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઊઠવા પામી છે.
હળવદનું વર્ષેા જૂનું ઐતિહાસિક શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલું સામંતસર સરોવરમાં વરસાદી પાણી અથવા અન્ય સ્તોત્ર દ્રારા પાણીથી ભરવામાં આવતા હતા તે સમયે પશુઓ માલઢોરો તેમજ લોકોને વાપરવા માટે પાણીથી સહેલાઈ મળી રહેતું હતું પરંતુ તંત્રની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે ગંદકીથી ખદબદત્તું જોવા મળે છે, થોડા સમય પહેલા હળવદની સામાજિક સંસ્થા દ્રારા ગંદકી દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ હાલમાં હળવદનું વિશાળ ઐતિહાસિક સામતસર સરોવર ગંદકીના અને કચરાના ઢગ નજરે પડી રહ્યા છે તેમજ તળાવમાં જંગલી ઘાસ પણ ઊગી નીકળ્યું છે. અહીં પાલિકા તત્રં દ્રારા કપડાં ધોવા માટે ઘાટ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ ઘાટ પર કચરો જામ થતાં ઘાટ પણ બિન ઉપયોગી બન્યા છે. ત્યારે હળવદ પાલિકા દ્રારા સત્વરે તળાવની સફાઇ,તળાવનું રીનોવેશન, તળાવને ખોદી ઐંડા કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે અને લોક ઉપયોગી બનાવવા માગણી ઉઠવા પામી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech