શહેરમાં ખોડલધામ અને સરદારધામ વચ્ચે ચાલી રહેલો વિવાદ હિંસક બન્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં ખોડલધામ સાથે સંકળાયેલા PI સંજય પાદરીયાનું નામ સામે આવ્યું છે.
ઘટનાની વિગતો અનુસાર મવડી-કણકોટ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટમાં આ હુમલો થયો હતો. સરદારધામના ઉપપ્રમુખ બન્યા બાદ જયંતિ સરધારા પર ખોડલધામના PI સંજય પાદરીયાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કર્યો હતો. જયંતિ સરધારા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, સંજય પાદરીયાએ તેમને એક ખુણામાં લઈ જઈને ગાળો ભાંડી હતી ત્યારબાદ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાથી રાજકોટમાં તણાવનું વાતાવરણ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સંજય પાદરીયાની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો દોડતી થઈ છે.
જયંતિ સરધારાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતુ કે, ''જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના PIએ મવડી-કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં કાર્યક્રમમાં હતો ત્યાં મને એક ખુણામાં લઈ જઈને કિધું કે, તુ સમાજનો ગદ્દાર છે. તે સરદારધામના ઉપ પ્રમુખનો ચાર્જ શુ કામ લીધું. અમારે ખોડલ ધામ અને સરદાર ધામને વેર-ઝેર છે નરેશ પટેલની સામે થાય છે એટલે તને હું જાનથી મારી નાખીશ. તેણે મને હથિયાર માર્યુ હતું. બાદમાં હું બેફાન થઈ ગયો હતો.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech