જોખમી ઢાંકણાઓના કારણે અકસ્માત થવાની સંભાવનો
ભાણવડ શહેરમાં ભૂગર્ભ ગટરની કુંડીઓમાં મુકાયેલા મોટાભાગના ઢાકણાઓની હાલત જર્જરીત બની ગઇ છે, જાણે અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિમાં નજરે પડી રહ્યા છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા જોખમી ઢાંકણાઓને હટાવી નવા ઢાંકણા માટેની લોકોમાં માંગણી ઉઠી છે.
શહેરમાં અગાઉ ખુલ્લી ગટરો હતી, આવી ગટરોમાં દુર્ગંધ મારતા પાણી સહિત ગંદકીની સમસ્યા પણ ખૂબ જ હતી ત્યારે ગંદકીને નિવારવા માટે સરકારી તંત્ર દ્વારા ઘણાં સમય પહેલાં ભૂર્ગભ ગટરનું નિમર્ણિ કર્યું છે.
આ માટે ઠેકઠેકાણે જાહેર રોડ, રસ્તા અને નાની મોટી શેરી ગલીઓમાં ગંદા પાણીના સ્ટોરેજ માટે કુંડીઓ બનાવી તેના ઉપર જે તે વખતે ઢાકણાઓ મુકવામાં આવ્યા હતા. આમ ઘણાં સમય પહેલા મુકવામાં આવેલા ઢાંકણાઓ હવે જર્જરીત બનવા લાગ્યા છે, તો અમુક ઢાંકણા હવે તુટવા પણ લાગ્યા છે.
ખાસ કરી જાહેર રોડ, રસ્તા ઉપર નાના મોટા વાહનો તેમજ બાઇક સવારો અને રાહદારીઓની અવરજવર દિવસ દરમ્યાન રહેતી હોય, ત્યારે જોખમી ઢાંકણાઓના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે, આ માટે સરકારી તંત્ર તાકીદે ઘ્યાન આપે એવી માંગણી લોકોમાં થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech