પોરબંદરની ચોપાટી સામે આવેલ વર્ષો જુની સ્ટેટ લાઇબ્રેરીમાં ઉપરના ભાગે આવેલ ટાઉનહોલ ખૂબજ જર્જરિત બની ગયો છે અને તેની છતના સ્લેબ પણ પડયા છે તેમ છતાં નીચે લાઇબ્રેરી કાર્યરત રાખવામાં આવી છે તેનાથી વાચકોના જીવ ઉપર સીધુ જ જોખમ સર્જાયુ છે. માટે નગરપાલિકાનું તંત્ર તેનું સમારકામ કરાવે તે જરી બન્યુ છે અને ત્યાં સુધી તેનુ કામલાઉ સ્થળાંતર પણ કરવુ અનિવાર્ય જણાઇ રહ્યુ છે.
પોરબંદર શહેરમાં અંગ્રેજના જમાનાથી કાર્યરત એવી ચોપાટી નજીકની સ્ટેટ લાયબ્રેરીની બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત થઈ ગઈ છે. આ ઐતિહાસિક ઈમારત ખાતે આવતા અખબાર અને મેગેઝીન સહિત જુદી- જુદી ભાષાના પુસ્તકો વાંચીને પોરબંદરના અનેક સાહિત્યકારોથી માંડીને નેતાઓ, અધિકારીઓએ પોતાની કારકિર્દીને સારી રીતે ઘડી છે. આ ઈમારત હાલમાં ખૂબ જ બિસ્માર બની ગઈ હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે. પોરબંદરમાં ક્યાંય કોઈ મિલકત જર્જરીત હોય તો નગરપાલિકાનું તંત્ર તેને તોડી પાડવા માટે તેના માલિકને સૂચના આપે છે.
શહેર મધ્યે હીરાપન્ના જેવા કોમ્પ્લેકસને તો સીલ પણ મારી દેવામાં આવ્યું છે. પરંતુ બીજી બાજુ આ લાઇબ્રેરીનો ઉપરનો માળ ખૂબ જ જર્જરીત અને તેની છત પડી ગઈ હોવા છતાં તેનું સમારકામ કરાવવામાં આવતું નથી અને તેને બંધ પણ કરવામાં આવતી નથી. અહીંયા બિસ્માર ટાઉનહોલની નીચે મોટી સંખ્યામાં વાચકો સવાર- સાંજ આવે છે તેથી ઉપરના માળે છત પડી છે એ જ રીતે હવે નીચે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? પોરબંદરના અનેક એપાર્ટમેન્ટ ઉપરના માળે બિસ્માર હોય તો નીચેની દુકાનો કે ફ્લેટ ખાલી કરવા માટે જણાવાય છે. તો અહીંયા સ્ટેટ લાઈબ્રેરી મુદ્દે પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર સહિત તેનું એન્જિનિયરિંગ વિભાગ કેમ ચૂપ છે? શું કોઈનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
આ સ્ટેટલાઇબ્રેરીના પોર્ચમાં પણ પોપડા ખર્યા છે અને લોખંડના સળીયા બહાર ડોકાઇ રહ્યા છે. માટે આ સમગ્ર ઇમારતનું ખૂબ વ્યવસ્થિત રીતે નવીનીકરણ કરવામાં નહી આવે ત્યાં સુધી અહી આવતા વાચકો સાથે પણ કોઇ ગંભીર દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર યોગ્ય કરે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech