પોરબંદરના દિગ્વિજયગઢ ગામે રહેતા ઇસમ સામે કમલાબાગ પોલીસમથકમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો હતો અને નાશતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્કવોડે વનાણાના ટોલનાકા પાસેથી પકડી પાડયો છે.
જૂનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા દ્વારા તેમજ પોલીસ અધિક્ષમક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગેઝેટ પ્રસિધ્ધ તથા લાલશાહીથી નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા સા સુચના કરવામાંઆવેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડ પોરબંદરના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા પેરો ફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર. કટારા તથા પોફી હેડ કોન્સ્ટેબલ જેતમલભાઇ મોઢવાડીયાને સંયુકત બાતમી હકીકતના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનના દાના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મેસુર ચનાભાઇ ઘેલીયા રહે. પાણીના ટાંકા પાસે દિગ્વિજયગઢ ગામ, તા. રાણાવાવ, જિ. પોરબંદરવાળાને ટોલનાકા પાસેથી પકડી ધોરણસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરેલ છે.
આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. એચ.કે. પરમાર, જે.આર. અટારા તથા પિયુુષભાઇ બોદર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા જેતમલભાઇ મોઢવાડીયા, વજશીભાઇ વ, કેશુભાઇ ગોરાણીયા, હરેશભાઇ સીસોદીયા દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech