તા. 4ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મુંબઇ અને દેશ-વિદેશમાંથી સત્સંગીઓ રહેશે ઉપસ્થિત
પૂ. જેન્તિરામ બાપાના સાનિધ્યમાં દ્વિ દિવસીય કાર્યક્રમો સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભજન-સત્સંગ-સંતવાણી-લોકડાયરામાં દેવરાજ ગઢવી સહિતના કલાકારો જમાવટ કરશે દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણથામ આશ્રમ ખાતે આગામી તા. 4 જાન્યુ. ને શનિવાર અને પોષ સુદ-5 ના રોજ પૂ. સત હરીરામબાપા જન્મ જયંતિ હોય જેની પૃ. જેન્તીરામ બાપાના સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં શુક્રવારથી જ આ દ્વિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ થશે જેમાં સારથી જ પૂ. જેન્તીરામ બાપાની સત્સંગ સભા સાંજે પણ સત્સંગ સભા યોજાશે. અને શનીવારના રોજ પૂ. હરીરામ બાપાના પ્રાગટયોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂ. જેન્તીરામ બાપા, પૂ. બાપાની ચરણ પાદુકાનું પૂજન કરી ભાવવંદના કરશે. અને ત્યારબાદ પુ જેન્તીરામ બાપા તેમના ગુરુદેવ પૂ. હરીરામબાપાની સેવામાં વિતાવેલ અલૌકીક અવિસ્મરણીય પળોનું સત્સંગ સભામાં વર્ણન કરશે અને પૂ. બાપાના આશિવર્દિયો જીવનમાં આવેલ પરિવર્તન મુળ સ્વપથી ઓળખ સહિતના ગહન વિષયોનું અનુભવગત માર્ગદર્શન પણ આપશે અને શનીવારે રાત્રે 9 કલાકે સંતવાણી લોકડાયરાના કાર્યક્રમમાં લોકસાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી તેમજ સવદાસભાઇ ગાગલીયા કેવલ દવે સહિતના કલાકારી જમાવટ કરશે.
આ દ્વિદિવસીય ઉત્સવનો લઇને સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મુંબઇ અને દેશ-વિદેશમાંથી સત્સંગીઓ આ કાર્યક્રમનો લાભ લેવા ઉપસ્થિત રહેશે તેમજ સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહી ધર્મસભામાં આશિવચન પાઠવશે.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો ભાગ લેવાના હોય જેને ધ્યાનમાં લઇ આવાસ નિવાસ અને 10 હજારથી વધુ સત્સંગીઓ સત્સંગનો લાભ લઇ શકે તે માટે તાલપતરીજડીત ઠંડીથી આરક્ષિત એવું વિશાળ ડોમ ઉભું કરવામાં આવ્યું છે. અને સમગ્ર શયક્રમને સફળ બનાવવા આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ રાજેશભાઇ તથા હિતેષભાઇ અને કમલેશભાઈ મહિતના સેવક પરિવાર દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. અને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech