માળીયા (મીયાણા)થી આમરણ ભાદરા ધ્રોલ રોડ બન્યો નથી તો ટોલ ટેક્ષ શા માટે?

  • November 30, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માળીયા (મીયાણા)થી આમરણ ભાદરા ધ્રોલ જામનગર રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામ છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા ચાલી રહ્યું છે.
રોડનું કામ પૂરું થયું નથી ત્યાં આ રોડ ઉપર જીરાગઢ ધાર પાસે ટોલ પ્લાઝા ઉભુ કરીને ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કર્યું છે તે ક્યાં કાયદાના આધારે શરૂ કરવામાં આવ્યું છે? તેમજ ટોલ પ્લાઝાની મંજૂરીની પોલીસી અને જોગવાઈ તેમજ નીતિ-નિયમ શું છે? તે અંગે માહિતી અધિકાર અધિનિયમ મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં રાજકોટ ઓફિસમાં પ્રોજેક્ટ ઓફિસર પાસે માહિતી માગવામાં આવી છે.
આ માળીયા (મિયાણા) થી જામનગર સુધીના રોડમાં અનેક ઠેકાણે રોડ અધૂરો પડ્યો છે. રોડમાં જોખમ રૂપ આડા અવરા વાહનોની અવરજવર છે. તાજેતરમાં જ એક ભારે વાહને રીક્ષાને અડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું.
અનેક જગ્યાએ એક બાજુ રોડ બંધ કરેલા જોવા મળ્યા છે જેથી  વાહન એક જ રોડ ઉપર અવરજવર કરે છે. તેમજ  રોડ ઉપર ની ભુલભુલામણી જેવું હોવાથી રોડ ઉપર અકસ્માત થાય છે. રોડ પુરા ન થયા ત્યાં તો આ રોડ ઉપર ટોલ પ્લાઝા ઉભો કરીને તો ટેક્સ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ રોડના કામ પૂર્ણ થાય ત્યાં સુધી ટોલ પ્લાઝાનો ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરે તેવું  લોકો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application