ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગની સુચના અન્વયે જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં તા.૨૦/૦૩/૨૦૨૫ નાં રોજ "રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ" નું આયોજન કરવામાં આવ્યું હતું.
આયર્ન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે શુક્ષ્મ અને અગત્યનું પોષકતત્વ છે. બાળકોને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકોને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ગઈકાલે તા. ૨૦/૦૩/૨૦૨૫ ના રોજ જામનગર મહાનગર પાલિકાની તમામ આંગણવાડી તમામ સરકારી, અર્ધ સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા અને કોલેજ ના ૧ થી ૧૯ વર્ષ ની વયના તમામ બાળકોને કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવેલ છે. કુલ ૧,૩૪,૬૩૯ બાળકોને કૃમિ ની ગોળી ગળાવા માટે આપવામાં આવી હતી. બાકી રહી ગયેલા બાળકોને તા. ૨૭/૦૩/૨૦૨૫ ના મોપ-અપ રાઉન્ડ માં ગોળી ગળાવવામાં આવશે. આથી આરોગ્ય શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાલીઓને અપીલ કરવામાં આવે છે, કે કોઈ કારણસર આપનું બાળક તા. ૨૦/૦૩/૨૦૨૫ ના રોજ ગોળી ગળી ન શક્યું ન હોય, તો તા. ૨૭/૦૩/૨૦૨૫ ના રોજ તેમને શાળા અને આંગણવાડી ખાતેથી ગોળી અપાવવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech