વધુ શૈક્ષણિક લાયકાતો ધરાવતા હોય તો વધુ પગાર મળે અને ઓછી શૈક્ષણિક લાયકાત હોય તો ઓછો પગાર મળે તે હંમેશા સાચું હોતું નથી. શાળામાં નોકરી કરતા શિક્ષકને કોલેજમાં ભણાવતા અધ્યાપક કરતા ઓછો પગાર મળતો હોય તેવું પણ દરેક કિસ્સામાં બનતું હોતું નથી. ગુજરાતની જ વાત કરીએ તો અહીં શાળાના શિક્ષકોને ઓછું ભણતર હોવા છતાં વધુ પગાર મળે છે અને કોલેજમાં અધ્યાપક સહાયક તરીકે ભણાવતા પ્રોફેસરોને વધુ શૈક્ષણિક લાયકાત હોવા છતાં ઓછો પગાર મળે છે.
ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધયાપકો ની જગ્યા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમથી વિપરીત જઈને ગુજરાત સરકારે અધ્યાપક સહાયકની નવી પોસ્ટ ઉભી કરી તેના દ્રારા ભરતી કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી માત્ર પિયા ૭,૫૦૦ના માસિક પગારમાં નોકરી કર્યા પછી આવા અધ્યાપક સહાયકોને દર મહિને . ૪૦,૧૫૬ નો ફિકસ પગાર મળે છે.
એમ.એ બી.એડ કરનાર માધ્યમિક શાળાના શિક્ષકોની વાત કરીએ તો તેનો પગાર . ૪૯,૬૦૦ છે. બીએ,બીએડ કરનાર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર પિયા ૪૦,૮૦૦ છે. બીજી તરફ એમ. એ.,એમ કોમ, એમએસસી, પીએચડી, કરનાર અને નેટ , સ્લેટ જેવી રાષ્ટ્ર્રીય કક્ષાની પરીક્ષા પાસ કરનાર અધ્યાપક સહાયકને માત્ર પિયા ૪૦,૧૫૬ મળે છે.
અધ્યાપક સહાયકોના આ પ્રશ્નને અને વેદનાને વાંચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા અને જાણીતા શિક્ષણ શાક્રી ડો. નિદત બારોટે રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી એવો સવાલ કર્યેા છે કે આપને નથી લાગતું કે અધ્યાપક સહાયકોનું આપણી સરકાર શોષણ કરતી હોય ? આ અધ્યાપક સહાયકોએ ઉચ્ચ અભ્યાસ કર્યા પછી સ્પીપા આયોજિત ત્રીપલ સી પ્લસ પરીક્ષા આપવાની છે. ૨૫ દિવસનો સઘન ગુ દક્ષતાનો કાર્યક્રમ કરવો પડે છે. સંશોધન પત્રો લખવા પડે છે. ચૂંટણી સહિતની સરકારની કામગીરી કરવી પડે છે અને આમ છતાં તેને પગાર ઓછો મળે છે તે કયાનો ન્યાય? નવમા –દસમા ધોરણમાં ભણાવતા શિક્ષકોની સરખામણીએ કોલેજમાં ભણાવતા અધ્યાપકોનો પગાર ઓછો હોય તે કદાચ માત્ર ગુજરાતમાં જ બનતું હશે ગુજરાતના ઘણા મોડેલને દેશ ફોલો કરે છે ત્યારે આ કિસ્સામાં અધ્યાપક સહાયકોને કરાતો અન્યાય દૂર થવો જ જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech