આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ થતો હોવાના અહેવાલ બાદથી ચાલી રહેલો રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણે કહ્યું, 'જો આવી ઘટના કોઈ ચર્ચ કે મસ્જિદ સાથે થઈ હોત તો દેશમાં અરાજકતા સર્જાઈ હોત. આ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો હોત.
અહેવાલ મુજબ, આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કહ્યું, 'જ્યારે આનાથી કરોડો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે, ત્યારે તેઓ કહે છે કે આપણે આ મુદ્દો ઉઠાવવો જોઈએ નહીં, કારણકે અમે ધર્મનિરપેક્ષ છીએ. શું હિંદુઓને ભાવનાઓ નથી હોતી?
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે 1 ઓક્ટોબર સુધી 11 દિવસના ધાર્મિક ઉપવાસ શરૂ કર્યા છે, ત્યારબાદ તે ભગવાન વેંકટેશ્વર પાસેથી ક્ષમા માંગવા માટે તિરુમાલાની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. જેને તેમણે "તિરુપતિ પ્રસાદમમાં અશુદ્ધતા લાવવાનો દૂષિત પ્રયાસ" ગણાવ્યો હતો. તેમજ તિરુપતિ લાડુ બનાવવામાં વપરાતા ગાયના ઘીમાં પશુઓની ચરબી મળી હોવાના અહેવાલ બાદ જનસેનાએ સનાતન ધર્મ સંરક્ષણ પરિષદની સ્થાપના કરવાની હાકલ કરી છે.
તિરુપતિ મંદિરમાં લાડુ પ્રસાદમનો વિવાદ ગયા અઠવાડિયે બુધવાર, 18 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો હતો. જ્યારે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ ગુજરાતની એક સરકારી લેબના અહેવાલ સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વાયએસ જગનમોહન રેડ્ડીની અગાઉની સરકાર દરમિયાન તેમના શાસનકાળ દરમિયાન તિરુપતિમાંથી લેવામાં આવેલા ઘીના નમૂનાઓમાં માછલીનું તેલ, બીફ ટેલો અને લાર્ડ મળી આવ્યા હતા. જોકે YSRCPએ તમામ આરોપોને ફગાવી દીધા છે.
YSRCP ચીફ જગન રેડ્ડીએ લાડુ વિવાદ પર PM મોદીને પત્ર લખ્યો છે
બીજી તરફ YSRCPના વડા વાયએસ જગન મોહન રેડ્ડીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી નાયડુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ સીએમ રેડ્ડીએ કહ્યું કે ટીડીપી વડા નાયડુ જાણતા હતા કે શંકાસ્પદ ગુણવત્તાના ઘીનો ઉપયોગ થતો નથી અને તેમના પર ખોટા આરોપો લગાવવાનો આરો
પ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ : આતંકવાદના પૂતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ
April 24, 2025 02:18 PMરાજકોટ ભલે મચ્છરમુક્ત ન થયું હોય પણ મનપા કાલે ઉજવશે વિશ્વ મેલેરિયા દિવસ
April 24, 2025 02:04 PMરાજકોટમાં કાર્યરત તબીબોને નોંધણી કરાવવા મહાનગરપાલિકાનો આદેશ
April 24, 2025 02:01 PMપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech