બેટ દ્રારકામાં ૪૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓને તત્રં દ્રારા નોટીસ આપ્યા બાદ છેલ્લા બે દિવસથી પાડતોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ગઇકાલ સાંજ સુધીમાં ૧૭૭ દબાણો દુર કરીને ૩૬૯૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની કિંમત રૂા.૧૯.૮૮ કરોડ થાય છે, રેવન્યુ સર્વે નં.૧૦૮ પરના સરકારી જમીન પરના દબાણો પણ દુર કરાયા છે અને આજ સવારે ફરીથી ત્રીજા દિવસે પણ આ પાડતોડ ઓપરેશન ચાલું રાખવામાં આવ્યું છે.
બેટ દ્રારકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એસપી નિતીશ પાંડેય, એસડીએમ અમોલ આવટે, ૩ ડીવાયએસપી અને ૧ હજાર પોલીસ, એસઆરપીના જવાનો સાથે ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, ગઇકાલે દ્રારકાના બાલાપર વિસ્તારમાં તત્રં દ્રારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી કરાઇ હતી અને આ વિસ્તારમાં રૂા.૨ કરોડના કિંમતના ૩૦ દબાણો દુર કરાયા હતાં.
વહિવટી તત્રં દ્રારા બે દિવસમાં રૂા.૧૯.૮૮ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, યાત્રાળુઓની અવરજવર ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે, સિેચર પુલ બધં કરી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓની સંખ્યા પણ ઘટી ગઇ છે, કોઇપણ જાતના તોફાની તત્વો માથુ ન ઉંચકે તે માટે પોલીસ પેટ્રોલીંગ તેમજ ડ્રોન કેમેરાની મદદથી અને ફત્પટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ અગાઉ વહિવટી તત્રં દ્રારા ૪૫૦થી વધુ ગેરકાયદેસર બાંધકામધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ જિલ્લા પ્રશાસન દ્રારા આખરી નોટીસ પણ ફટકારવામાં આવી હતી, નોટીસમાં સ્વૈચ્છીક રીતે બાંધકામો દુર કરવા જણાવાયું હતું, આખરે ગુ ઓપરેશન માટે મીટીંગ યોજાઇ હતી અને ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, દરિયાઇ પેટ્રોલીંગ તેમજ સુરક્ષા–વ્યવસ્થા પણ મજબુત બનાવી દેવામાં આવી છે, ખંભાળીયાના ડીવાયએસપી સાગર રાઠોડ, હાર્દીક પ્રજાપતિ તેમજ એલસીબી, એસઓજીનો જિલ્લાભરનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, આજ સવારથી જે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યાં પણ ડીમોલીશનના સ્થળે પોલીસ સ્કોડન કરી દેવામાં આવ્યું છે, વિકાસના કામોને ધ્યાનમાં લઇને આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગૌચરની જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી છે. સવારથી પાડતોડની કામગીરી શરૂ કરાતા પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો, એસઆરપી, એમપીએફટીના જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે, દબાણો દુર કરતા લોકો એકઠાં પણ થયા હતાં, પરંતુ પોલીસે આ તમામને હટાવી નાખ્યા હતાં, જયાં સુધી સંપૂર્ણ ઓપરેશન ન થાય ત્ાં સુધી આ પાડતોડની કામગીરી ચાલું રહેશે, ગઇકાલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્રારકામાં કરાયેલા ડીમોલીશન–ઓપરેશનની પણ પ્રશંસા કરી હતી અને તમામ ગેરકાયદેસર દબાણો દુર કરાશે તેમ પણ ટયુટર મારફત જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech