પોરબંદરમાં માછીમારોને થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર ચુકવવા માંગ થઇ છે.
નવી સિઝન માછીમાર ભાઈઓ ની શ થઈ ત્યારે જ ગુજરાત સરકાર ના આદેશ અનુસાર બોટો પરત બોલાવવામાં આવી અને અમુક બોટો દરિયા માં જળસમાધિ અથવા તેમને નુકસાન થયું હોય અને બોટો પરત બોલાવવામાં પૂર્ણ ફિશિંગ ન થવાને કારણે માછીમાર ભાઈઓ આર્થિક સંકટ માં મુકાયા હોય તેવા કિસ્સા માં ગુજરાત સરકાર અને ભારત સરકાર માછીમાર ભાઈઓ ને ન્યાય મળી રહે તેના માટે સ્પેશિયલ પેકેજ અથવા ડાઇરેક માછીમાર બોટ માલિક ના નુકસાની ના સર્વે ના આધાર ઉપર તાત્કાલિક સહાય ચૂકવવા માં આવે તેવી માંગ જિલ્લા પ્રમુખ માનવાધિકાર આયોગ અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વવારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી લેખિત અને ઈમેલ ના આધારે કરવા માં આવી છે
ગુજરાતના માછીમાર ભાઈઓ નવી સિઝન ની શઆતમાં જ સમંદર માં તોફાન હોવાને કારણે સરકાર દ્વારા પરત બંદર ના કાંઠે જવાનું સૂચન કર્યું હતુ. અને માછીમાર ભાઈઓ પોતાની બોટ સાથે કોઈ પણ બંદરમાં પરત આવ્યા હતા અને જે બોટ માલિક માતબર ખર્ચ કરી અને પોતાની બોટ ફિશિંગ કરવા મોકલેલ હતી પરંતુ સમંદરમાં વાવાજોડાને કારણે બોટોને આર્થિક ખર્ચ વધુ થયો હોવાથી અને અમુક બંદરોમાં માછીમાર ભાઈઓની બોટો દરિયામાં ડૂબી ગઈ હતી તેવા સંજોગમાં માછીમાર ભાઈઓ ના બોટ માલિક ને જે બોટોમાં નુકશાન થયું હતુ તેમણે તાત્કાલિક સહાય આપવા તથા બોટ ફિશિંગમાં મોકલવાના કિસ્સામાં એક ટ્રીપ દીઠ પાંચ થી સાત લાખ નો માતબર ખર્ચ થતો હોય અને ફિશ નો જથ્થો ખૂબજ નહિવત મળવાને કારણે આવા તમામ બોટ માલિકો ને ડાઇરેક સહાય ની રકમ બોટ ના રજીસ્ટર થયેલ બોટ માલિકોને તેમના બેંકના ખાતા માં અથવા આપ ના વરદ હસ્તે ચેક વિતરણ કરવા જોઈએ અને ખાસ જન્મ જાત માછીમાર ભાઈઓ માટે ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવા જોઈએ તેવી માંગ માનવાધિકાર આયોગના જીલ્લા પ્રમુખ અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા ગુજરાત સરકાર ભારત સરકાર ને નમ્ર અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech