વશરામભાઈ રાઠોડ દ્વારા કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર : તાત્કાલિક સીસીઆઇ કેન્દ્રો શરૂ નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી
આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કેબીનેટ કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલને માંગ કરતા પત્રમાં જણાવ્યું છે કે જામનગર જીલ્લામાં ખરીફ કપાસના પાક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરવા સીસીઆઇ કેન્દ્રો હજુ શરુ નથી થયા.
સરકાર અને જીન માલિકોની સાંઠ- ગાંઠ થી સરકારની ખેડૂત વિરોધી નબળી આયાત નિકાસ નીતિના કારણે ખુલી બજારમાં કપાસના ભાવ ટેકાના ભાવ કરતા ખુબજ નીચા હોવાથી ખેડૂતો આર્થિક નુકસાનીના ભોગ બની રહ્યા છે.
અત્યારે ખેડૂતોને રવિ સીઝન ના વાવેતર તથા પોતાના સામાજિક પ્રસંગો કાઢવા રૂપિયાની ખુબજ જરૂરિયાત હોવાથી ખેડૂતો વેપારીઓને પોતાનો કપાસનો પાક સસ્તા ભાવે વહેચવા મજબુર થયા છે અને વેપારીઓ કપાસની ગુણવતાના બહાના આપી ખેડૂતોનું નીચા ભાવે ખરીદી કરી ખુબજ શોસણ કરી રહ્યા છે. ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી અને માવઠાથી ખેડૂતોના કઠોળ, કપાસ,મગફળી, ડુંગળી જેવા પાકો મોટા પાયે નિષ્ફળ થયા છે અથવા નુકશાન પામ્યા છે તેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ ખુબજ નબળી બની ગઈ છે અને ખેડૂતોને રવિ સીઝન વાવેતર કરવા બિયારણ, ખાતર, અને દવાઓ ખરીદવા પણ મુસ્કેલ બની રહ્યા છે. તેથી સાહેબશ્રીને ખેડૂતોની આ વ્યથા સમજી જામનગર જિલ્લાના તમામ તાલુકા મથકોએ ટેકાના ભાવે કપાસ ખરીદીના કેન્દ્રો તાત્કાલિક શરુ કરવા આપ જિલ્લા પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે.
જો તાત્કાલિકના ધોરણે કપાસના ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો શરુ કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ આપ જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કેબીનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલને માંગ કરતા પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech