જામ્યુકોના બજેટમાં શ્ર્વાન નસબંધી પ્રોજેકટનો ખર્ચ દર્શાવવા માંગ

  • February 07, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોર્ડ નં.૪ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ કરી માંગ

જામનગર મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં કુતરાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે, લોકોને કુતરા ઇજા પણ પહોંચાડે છે ત્યારે આ સળગતી સમસ્યાને દુર કરવા માટે શ્ર્વાનોની નશબંધી કરવાની વાત ખુબ જ આવકારદાયક છે, પરંતુ આ બજેટમાં શ્ર્વાન નશબંધી પ્રોજેકટનો ખર્ચ દર્શાવી વિગત જાહેર કરવાની માંગ વોર્ડ નં.૪ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મેયરને લખેલા પત્રમાં જણાવી છે.
આ પત્રમાં કહ્યું હતું કે, નશબંધીનો પ્રોજેકટ કેટલા રુપિયાના ખર્ચે કરવામાં આવશે ? અને આ પ્રોજેકટ કેટલો લાંબો ચાલશે ? કઇ સંસ્થા સાથે આ પ્રોેજેકટનું એમઓયુ કરવામાં આવ્યું છે ? તેની વિગતો બજેટમાં જાહેર કરવી જોઇએ. ૨૦૨૪ના બજેટમાં આ વિગતો દર્શાવવા અમારી માંગણી છે. શહેરના તમામ વિસ્તારોના લોકો માટે તેમજ નિર્દોષ પ્રાણીઓ માટે તંત્ર આગામી દિવસોમાં સીસી રોડના કામોમાં વૃક્ષારોપણ કરે અને જમીનમાં ખાડા કરે તો શ્ર્વાન પણ બેસી શકે તેમ પત્રના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application