રાયગઢ કિલ્લા પર શિવાજીના સ્ટેચ્યુ સામેના શ્વાનના સ્મારકને દૂર કરવા માંગ

  • March 24, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને કોલ્હાપુરના રાજવી પરિવારના વંશજ સંભાજીરાજે છત્રપતિએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજના સ્મારક પાસે બનેલા વાઘ્યા કૂતરાના સ્મારકને દૂર કરવાની માંગ કરી છે. જો કે પુરાતત્વ વિભાગે પણ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે.સંભાજીરાજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરીને આ ડોગ મેમોરિયલ દૂર કરવા જણાવ્યું છે.

છત્રપતિ શિવાજી સાથે સંબંધિત બીજો એક મુદ્દો મહારાષ્ટ્રમાં જોર પકડી રહ્યો છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને કોલ્હાપુરના રાજવી પરિવારના વંશજ સંભાજીરાજે છત્રપતિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાયગઢ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે બનેલા કૂતરાના સ્મારકને દૂર કરવાની માંગ કરી છે. પત્રમાં તેમણે 31 મે પહેલા આ સ્મારકને દૂર કરવાની અપીલ કરી છે.


પાલતું શ્વાનના અસ્તિત્વ અંગે ઐતિહાસિક પુરાવા ન હોવાની દલીલ

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને કોલ્હાપુરના રાજવી પરિવારના વંશજ સંભાજીરાજે કહ્યું થોડા દાયકા પહેલા, રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે વાઘ્યા નામના કૂતરાનું સ્મારક બનાવવામાં આવ્યું હતું, જે તેમના 17મી સદીના શાસન દરમિયાન રાજધાની હતું.જોકે, તેમણે દાવો કર્યો હતો કે શિવાજી મહારાજના આ કથિત પાલતુ કૂતરા વાઘ્યાના અસ્તિત્વ અંગે કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. આ કારણે, આ સ્મારક કાયદેસર રીતે સંરક્ષિત વારસા સ્થળ પર અતિક્રમણ સમાન છે.


પુરાતત્વ સર્વેક્ષણએ તેને શિવાજીનું અપમાન ગણાવ્યું

સંભાજીરાજેએ એમ પણ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ સ્પષ્ટતા કરી છે કે વાઘ્યાના અસ્તિત્વ અંગે કોઈ ઐતિહાસિક પુરાવા કે લેખિત દસ્તાવેજ નથી. તેને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવતા તેમણે કહ્યું કે તે મહાન શિવાજી મહારાજના વારસાનું અપમાન છે.પુરાતત્વ સર્વેક્ષણની નીતિ અનુસાર, 100 વર્ષથી વધુ જૂની રચનાને સંરક્ષિત સ્મારકનો દરજ્જો આપવામાં આવે છે. સંભાજીરાજેએ વિનંતી કરી હતી કે વાઘ્યાના આ સ્મારકને 100 વર્ષ પૂરા થાય તે પહેલાં તેને દૂર કરવામાં આવે, જેથી તેને કાનૂની રક્ષણ ન મળે.


રાજ્ય સરકારના નિર્ણય પર સઘળો મદાર

આ મુદ્દા અંગે ઇતિહાસકારો અને સ્થાનિક લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને શિવાજી મહારાજની વાર્તાનો એક અભિન્ન ભાગ માને છે, જ્યારે કેટલાક લોકો તેને ઐતિહાસિક રીતે ચકાસાયેલ નથી તેમ કહે છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ માંગણી પર શું નિર્ણય લે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application