તાલુકા પંચાયતના ઉપપ્રમુખે માર્ગ મકાન વિભાગના સચીવને લખ્યો પત્ર
જામનગર જિલ્લાના બાયપાસ-ખીમરાણા-શેખપાટ રસ્તાનું કામ 2016-17માં શ થયું હતું અને તા.15-7-21ના પુ કરવા માટે આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી આ કામ ચાલું કરવામાં આવેલ નથી જેને કારણે 30 હજાર લોકોને નુકશાની થાય છે, આ કામ ઝડપથી શ કરવા માટે રસ્તાના કામનું રી-ટેન્ડરીંગ કરવા માંગણી જામનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠલભાઇ માંડવીયાએ રાજયના માર્ગ મકાન વિભાગના સચીવને પત્ર લખી કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2016-17માં બાયપાસ-ખીમરાણા-શેખપાટ રોડ મંજુર કરવામાં આવેલ, આ કામ 15-7-2021 સુધીમાં પુ કરવાનું હતું, સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા આ કામ શ કરવામાં આવ્યું નથી.
આ કંપનીને તાજેતરમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી છે અને તેને મળેલા કામો ચાલું રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે, લોકોને તકલીફને ઘ્યાનમાં લેવામાં આવી નથી, છ વર્ષથી વર્ક ઓર્ડર આપ્યો હોવા છતાં પણ હજુ સુધી કામ શ થયું નથી માટે તાત્કાલીક વર્ક ઓર્ડર રદ કરીને રિ-ટેન્ડર કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech