તાલુકા પંચાયતના ઉપપ્રમુખે માર્ગ મકાન વિભાગના સચીવને લખ્યો પત્ર
જામનગર જિલ્લાના બાયપાસ-ખીમરાણા-શેખપાટ રસ્તાનું કામ 2016-17માં શ થયું હતું અને તા.15-7-21ના પુ કરવા માટે આદેશ અપાયો હોવા છતાં હજુ સુધી આ કામ ચાલું કરવામાં આવેલ નથી જેને કારણે 30 હજાર લોકોને નુકશાની થાય છે, આ કામ ઝડપથી શ કરવા માટે રસ્તાના કામનું રી-ટેન્ડરીંગ કરવા માંગણી જામનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિઠલભાઇ માંડવીયાએ રાજયના માર્ગ મકાન વિભાગના સચીવને પત્ર લખી કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 2016-17માં બાયપાસ-ખીમરાણા-શેખપાટ રોડ મંજુર કરવામાં આવેલ, આ કામ 15-7-2021 સુધીમાં પુ કરવાનું હતું, સ્વસ્તીક ક્ધસ્ટ્રકશન નામની એજન્સીને આ કામ આપવામાં આવ્યું છે, પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની દ્વારા આ કામ શ કરવામાં આવ્યું નથી.
આ કંપનીને તાજેતરમાં બ્લેક લીસ્ટ કરવામાં આવી છે અને તેને મળેલા કામો ચાલું રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે, લોકોને તકલીફને ઘ્યાનમાં લેવામાં આવી નથી, છ વર્ષથી વર્ક ઓર્ડર આપ્યો હોવા છતાં પણ હજુ સુધી કામ શ થયું નથી માટે તાત્કાલીક વર્ક ઓર્ડર રદ કરીને રિ-ટેન્ડર કરવાની માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech