મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલકાંડમાં અજંતા કંપનીના માલિક જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવા, અજંતા કંપનીને આરોપી તરીકે ઉમેરવા વધુ તપાસની માગ કરતી પીડિતોની અરજી નીચલી કોર્ટે ફગાવતા હવે આ સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.
નીચલી અદાલતના અરજદાર પીડિતોને રાહત નહીં આપતાં ચુકાદાને રદ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે અને વચગાળાની રાહત પે ટ્રાયલ પર સ્ટે મૂકી વધુ તપાસના આદેશ કરવાની દાદ અરજદારોએ માગી છે. જે રિટની સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને ટ્રાયલ ૫૨ સ્ટે મૂકવા સંદર્ભે પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ અંગે હાઇકોર્ટે વધુ સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ હાથ ધરવામા આવશે.
આ મામલે અરજદારો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવે અને એડવોકેટ રાહત્પલ શર્માએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ મામલે કંપનીને આરોપી તરીકે દર્શાવી નથી. તે ઉપરાંત કલમ ૧૭૩ હેઠળ વધુ તપાસ કરવા માટેની દાદ માગતી એક અરજી નીચલી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
અરજદાર પીડિતોનું માનવું છે કે, આ કેસમાં એવા પુરાવા સામે આવ્યા છે કે જેમાં ૩૦૨ એટલે કે હત્યાની કલમ આરોપીઓ સામે ઉમેરી શકાય. જોકે અરજી કોર્ટે રદ કરી હતી. જે આદેશની સામે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.
ગઈ કાલે આ કેસની સુનાવણીમાં એક તબક્કે હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે રાય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવવાનો મૌખિક આદેશ કર્યેા હતો. પરંતુ અરજદારો તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે આ મામલે ટ્રાયલ પર સ્ટે મૂકવાનો આદેશ હાઇકોર્ટ દ્રારા કરવામાં આવે. ત્યારે કોર્ટે એવી ટકોર કરી હતી કે તો પછી આ મામલે તમે તમારી દલીલો કરો.હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે અમને અરજદાર પીડિતો પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ કાયદાની ચાર દીવાલ વચ્ચે જ કોર્ટે કાર્યવાહી કરવી પડે.તેની બહાર જઇ કશુ કરી શકે નહી આ માટેની વધુ સુનાવણી આગામી છઠ્ઠી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech