કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મીક્સ ફુલોનો શણગાર

  • May 26, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


   સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી સાળંગપુરમાં દાદાને મિક્સ ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.  
 કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા હતા. આ સાથે ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના ફુલો સિંહાસનને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો.  હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું  હતું કે,  દાદાને જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે મિક્સ ફુલોનો સિંહાસને શણગાર કરાયો છે. તો  દાદાને કેળા,કેરી,સંતરા, મોસંબી,ત રબુચ,અનાનસ વિગેરે ફ્રુટનો અન્નકૂટ પણ ધરાવાયો છે. જેને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application