દરરોજ છ ઘ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે: 2035 સુધીનું બુકીંગ થઇ ચૂકયું છે
યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટે ડિસેમ્બર માસનો ડ્રો શ્રી ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પારદર્શકતા પૂર્વક સંપન્ન હતો.
જગત મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને જગતમંદિરમાં ધ્વજા આરોહણ તેમજ તુલા દાનનું ખાસું મહત્વ છે. દ્વારકાધીશ જગત મંદિરમાં દરરોજ છ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે જેનું બુકિંગ લગભગ 2035 સુધી થઈ ચૂકેલ છે. ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા છ ધ્વજાજી પૈકી એક ધજાજીનું તાત્કાલ બુકિંગ કરવામાં આવે છે જેનો ડ્રો દર માસે યોજાય છે.
દ્વારકાધીશ જગત મંદિર પર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટે ડિસેમ્બર માસ 2024નો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા 20 નવેમ્બરના રોજ બ્રહ્મપુરી નંબર 1મા ધ્વજાજીના યજમાન વૈષ્ણવો, ભક્તો, તીર્થ પુરોહિતો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા સદસ્યો, સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો વગેરેની ઉપસ્થિતિમાં પારદર્શકતા પૂર્વક ડ્રો સંપન્ન કરવામાં આવ્યો. અગાઉ ડ્રો માટે ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech