પેરોલ પર છૂટેલા પાકા કામના કેદીનું બીમારી સબબ મૃત્યુ

  • June 03, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા સવદાસભાઈ સાડવાભાઈ ગોરાણીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધને હત્યાના ગુનામાં આજીવનની કેદની સજા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં તેમને પાકા કામના કેદી તરીકે અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
આ પછી છેલ્લા એકાદ વર્ષથી તેમને ફેફસાનું કેન્સર લાગુ થયેલું હોય, જેની સારવાર માટે તેઓ પેરોલ ફર્લો રજા પર તેમના ઘરે આવ્યા હતા. પેરોલ રજા પૂર્ણ થાય અને તે જેલમાં પરત ન ગયા હતા અને કેન્સરની ચાલુ સારવાર વચ્ચે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર વિજયભાઈ સવદાસભાઈ ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application