સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યભરની 11 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ (જીકાસ) મારફત પ્રવેશ આપવાની પ્રક્રિયા તારીખ 9 થી 18 મે દરમિયાન યોજવાની હતી. પરંતુ ઓછા રજીસ્ટ્રેશન અને ધોરણ 12 ની માર્કશીટ વગર વેરિફિકેશન શક્ય ન હોવાનું જણાતા સરકારે રજીસ્ટ્રેશનની મુદતમાં આગામી તારીખ 21 ને બુધવાર સુધીનો વધારો કર્યો છે.
મુદત વધારો કરાયો તે પહેલાંની સ્થિતિ જોઈએ તો 11 યુનિવર્સીટીમાં બે લાખ આઠ હજાર વિદ્યાર્થીઓએ ક્વીક રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેમાંથી 1,22,619 વિદ્યાર્થીઓએ કોલેજ તથા પ્રોગ્રામની પસંદગી કરી હતી. કવીક રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા તારીખ 25 માર્ચથી શરૂ કરવામાં આવી અને હતી અને તેથી સ્વાભાવિક રીતે તેમાં થોડું વધારે રજીસ્ટ્રેશન થયું છે. પરંતુ કોલેજ અને પ્રોગ્રામની પસંદગીનું પ્રમાણ ઓછું રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો અહીં ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડ માંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 80,000 થી વધુ વિદ્યાર્થીઓએ પાસ કરી છે. પરંતુ રજિસ્ટ્રેશન માત્ર 15,000 નું થયું હતું. 117 કોલેજો એવી છે કે ત્યાંથી એક પણ ફોર્મ ભરાઈને આવ્યું ન હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં મુદત વધારો કર્યો છે. નવી સૂચના અને નિર્ણય મુજબ હવે 21 મે સુધી ક્વિક રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ ઓનલાઇન કરાવી શકે શકશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન ફી, પ્રોફાઈલ, શૈક્ષણિક માહિતી અને યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે. ઓનલાઇન અરજીઓ ચેક કર્યા પછી જ પોર્ટલ પર સબમીટ કરવા માટે જણાવાયું છે.
તારીખ 21 સુધીમાં જે અરજીઓ આવી હશે તેમનું વેરિફિકેશન અને રજીસ્ટ્રેશનનો પ્રથમ રાઉન્ડ 23 મે સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓએ આ માટે અસલ પ્રમાણપત્રો સાથે નજીકના વેરિફિકેશન સેન્ટરમાં જવું પડશે. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 29 થી 31 મે દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ પોર્ટલ પર તેના ડેસ્ બોર્ડ પર લોગીન કરી સંબંધિત યુનિવર્સિટી- કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસી શકશે અને જો યોગ્ય લાગે તો પોર્ટલ પર ઓટીપીટીથી કન્ફર્મ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈને જે તે યુનિવર્સિટી કે કોલેજ પર અસલ પ્રમાણપત્ર સેલ્ફ એટેસ્ટેડ કરીને એક સેટ સાથે લઈ જવાનું રહેશે અને ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.પ્રવેશનો બીજો રાઉન્ડ તારીખ 3 અને 4 જૂન બે દિવસ માટે યોજાશે. ત્રીજો રાઉન્ડ તારીખ 6 થી 9 જૂન અને ચોથો રાઉન્ડ તારીખ 11 અને 12 જુનના રોજ યોજવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMવિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી
June 05, 2025 12:56 PMજામનગર જિલ્લાના એસપીનો વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાની જનતાને સંદેશો
June 05, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech