જામનગરમાં ખોડીયાર કોલોનીમાંથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો

  • April 04, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીમારીના કારણે મૃત્યુ નીપજ્યાનું અનુમાન


જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ સાંપડ્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ કરી છે, અને બીમારીના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીકના ભાગમાં એક મહિલા મૃત હાલતમાં પડેલા છે, તેવી માહિતી પોલીસને મળતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.પી. જોશી તેમજ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક મહિલા નું નામ સકુબેન દેવરાજભાઈ જાદવ ઉંમર વર્ષ ૬૧ અને મુંબઈ દવા બજાર કોલોની વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના પરિવારને શોધીને મૃતદેહનો કબ્જો શોપી દીધો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન બીમારીના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું તારણ નીકળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application