જ્યુબેલી સર્કલથી બોખીરા સુધી અંધારપટને લીધે અકસ્માતનો ભય

  • June 18, 2025 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જ્યુબેલી ચાર રસ્તાથી બોખીરાના બસસ્ટેશન સુધીની સ્ટ્રીટલાઇટો બંધ હોવા છતાં તંત્ર નિષ્ફિકર છે તેથી અહીંયાથી અવરજવર કરતા લોકોનો આક્રોશ હવે વધવા પામ્યો છે. 
પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ અસંખ્ય સ્ટ્રીટલાઇટ ઝળહળતી કર્યાના આંકડા જાહેર કરે છે પરંતુ જ્યુબેલીના ચાર રસ્તાથી બોખીરાના બસસ્ટેશન સુધીના મુખ્ય રસ્તા પરની તમામ સ્ટ્રીટલાઇટોમાં અંધારપટ જોવા મળે છે. આ રસ્તેથી વિશાળ સંખ્યામાં ભારે વાહનોની સતત અવરજવર થાય છે. તે ઉપરાંત મહત્વની બાબત એ છે કે અહીંયાથી સુભાષનગર અને ઓલવેધર પોર્ટની જેટી તરફ જવાય છે તેથી ભારે વાહનો ઉપરાંત માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સતત અવરજવર કરે છે તે ઉપરાંત બોખીરા વિસ્તારમાં ત્રણ માઇલ સુધી અનેક નવી સોસાયટીઓ બની છે અને હજારો લોકો ત્યાં પણ વસવાટ કરે છે તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ફિકર હોય તેમ આ રસ્તા પરની બંધ સ્ટ્રીટલાઇટને ઝળહળતી કરવામાં માનતુ નથી તેથી તંત્રની બેદરકારી વિ‚ધ્ધ રોષ જોવા મળી રહ્યો છે અને મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ વિસ્તારનો અંધારપટ દૂર કરાવી વ્યવસ્થિત રીતે સ્ટ્રીટલાઇટો ઝળહળતી થાય તે માટે યોગ્ય કરે તેવી માંગણી ઉઠવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application