ભાવનગરમાં રૂપિયાની લાલચમાં આવેલા અનેક યુવાનોના ડોક્યુમેન્ટ આધારે ખુલેલા બેન્ક એકાઉન્ટમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થવાની સાથે સાઈબર ફોડ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખાતા દિઠ રૂપિયા ૩૦૦૦થી લઈને રૂપિયા ૧૦,૦૦૦ ચૂકવીને ડોક્યુમેન્ટ લઈ લીધા બાદ પરપ્રાંતમાં કરોડો રૂપિયાની હેરફેર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દુબઈથી મોટી રકમની હેરફેર થઈ હોવાની શંકા છે. આ મામલે દિલ્હીમાં પણ તાજેતરમાં ફરિયાદ દાખલ થઈ છે. જ્યાથી સાઈબર ક્રાઈમમાંથી ભાવનગરના યુવાનોને નોટીસ ફટકારવામાં આવી છે. ફુલસર, વાળુકડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ૫૦થી વધુ યુવકો જાળ ફસાયા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. મલ્ટીનેશન કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચાણ કરવા એકની નીચે બે, બેની નીચે ચારની જેમ નેટવર્ક પાથરે છે. તેમ ફોડ કરવા ભેજાબાજોની ચેનલ કરે છે, એક શખસ બીજાને જાળમાં ફસાવે, બીજો ત્રીજાને લાલચ આપીને ડુબાડે તેવી ઘટના ભાવનગરમાં બહાર આવી રહી છે. શેર બજારમાં એકાઉન્ટ ભાડે આપવાની પ્રથા છે, જેના નામે ખાતા ભાડે રાખવાના બહાને સાયબર ફોડ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ફુલસર વિસ્તારના તેમજ વાળુકડ આસપાસના અનેક યુવાનો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યુ છે. ખરેખર આ જાળની ઝિણવટભરી તપાસ થાય તો શહેરના ૫૦થી વધુ નહીં પણ અનેક યુવકોના ખાતામાં ફોડ થયાનુ બહાર આવે તેવી શંકા છે. દિલ્હીમાં એફઆઈઆર દાખલ થઈ છે. જેમાં રૂપિયા ૧૨ લાખ - ૧૨ લાખના ફ્રોડ કરવામાં આવ્યા છે. રોકાણ કરવાની લાલચ આપીને ફ્રોડ કરવામાં આવ્યા છે. આ કેસમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એફઆઈઆર દાખલ થઈ હતી. તેમાં ભાવનગરના ચિત્રાના રહીશો રાઠોડ બ્રીજેશભાઈ સંજયભાઈ સોલંકીના નામે બેન્ક એકાઉન્ટ ખુલ્યુ છે, જેથી તેને નોટિસ આપી છે. પુછપરછ કરવા અને વ્યાજબી કારણ જાણવા ૨ જુને હાજર થવા નિર્દેશ અપાયો છે.
ફુલસર ગામના ઘણા યુવાનોના ખાતા ખુલ્યા છે. રાહુલે ખાતા ખોલી આપ્યા છે. શેર માર્કેટનુ કહ્યુ હતુ ખાતા દિઠ રૂપિયા ૩,૫૦૦ આપ્યા હતા. મારા ખાતામાં ૫-૬ લાખનું ટ્રાન્ઝેકશન થયુ છે. ૨ - ૩ને નોટીસ આપવામાં આવી છે. અગાઉ ગાંધીનગરથી નોટિસ આવી હતી. પછી દિલ્હીથી પણ નોટિસ આવી છે. સ્કીમ ચાલે છે તેમ કહેતા અમે મિત્રો વાળુકડ ગયા હતા. જે ભાઈ બીજાને ખાતા આપેલ છે. એટીએમ સહીત તેની પાસે છે. ખાતા ખોલનારને રૂપિયા આપવામાં આવ્યા હતા, એટલે સૌએ ડોક્યુમેન્ટ આપ્યા હતા. પછી શુ થયુ તેની ખબર નથી.
શેર બજારમાં એકાઉન્ટ ખોલવા માટે ખાતા દીઠ રૂપિયા ૧૦,૦૦૦ આપવાનુ કહ્યું હતું, જેથી મે મારૂ અને મારા બે ચાર મિત્રના ખાતા આપ્યા હતા. મારી સાથે જે સંપર્કમાં છે તે ભાવનગરના ટોપથ્રી પાસે રહે છે. તેણે મને કહ્યુ હતુ કે કોઈ મિત્રો હોય તો કહેજો. ખાતાનુ શુ થયુ તેની મને જાણ નથી. ફુલસરનો મીહિર મને ઓળખે છે, તેને ખાતા ખોલી આપ્યા હતા.
જેમાં ગાંધીનગરથી કોલ આવ્યો હતો. વરતેજ પોલીસમાંથી નોટિસ આવી હતી. જેમાં ખાતા ખોલનાર છટકવા મારૂ નામ આપી દીધુ હતું. રાહુલ ગોહેલ, વાળુકડ, બેન્ક ખાતુ ખોલનાર અને ખોલાવનાર હસ્તગત કરે છે. જ્યારે જેના નામે ખાતુ ખોલવામાં આવ્યુ હોય તેને રૂપિયા ૩,૦૦૦, ૫,૦૦૦, ૭,૫૦૦ તેમજ ૧૦,૦૦૦ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. જે ફસાયા છે તે એકબીજાના નામો દે છે, પણ મુખ્ય સૂત્રધાર કોણ છે તે હજુ બહાર આવ્યુ નથી. અનેક બેન્ક એકાઉન્ટમાં લાખો રૂપિયાની હેરફેર થઈ છે. પરંતુ ખાતેદારની તેની ગંધ સુધ્ધા આવતી નથી. ગુજરાત બહારના રાજ્યો, દેશોમાં તે રકમના ટ્રાન્ઝેક્શનો થયા છે. આ મામલે તાજેતરમાં ભાવનગરના ચિત્રામાં યુવાનને દિલ્હીથી નોટિસ આપવામાં આવી છે. અને સાયબર કાઈમ પોલીસ મથકમાં હાજર થવા ફરમાન થયુ છે. આવી રીતે જેને જેને નોટિસો આવી છે ત્યારે આંખ ઉથડી છે કે તેના બેન્ક એકાઉન્ટમાં કોઈ બીજા જ લોકો લાખો રૂપિયાની હેરફેર કરી રહ્યા છે. હજારો રૂપિયાની લાલચમાં પોતાના ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ અથવા તો દેશ વિરૂધ્ધિ પ્રવૃતિમાં તો નથી થઈ રહ્યો ને? તેવો સવાલ ઉઠી રહ્યો છે. જેથી કોઈના કહ્યામાં આવ્યા વગર પોતાના ડોક્યુમેન્ટ નહીં આપવા પોલીસ તંત્ર પણ અનુરોધ કરી રહ્યું છે. સમગ્ર મામલે ભોગ બનેલા યુવકોના ખાતામાં જજ્યારે જ્યારે મોટી રકમના ટ્રાન્ઝેકશનો થાય છે અને તેમાં એફઆઈઆર દાખલ થાય છે ત્યારે ભાંડો ફુટે છે અને પ્રકરણ બહાર આવી રહ્યા છે. હજુ પણ ઘણા કેસ ખુલવાના બાકી હોવાનું જાણવા મળ્યું હતું.
દરમ્યાન મીહીર સરવૈયા, ખાતુ ખોલનાર અને ખોલાવનાર, ફૂલસર ભાવનગરના ચિત્રાના યુવકને કેવા હેતુસરની નોટિસ ફટકરવાં આવી હયી કે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ ની પેટા-કલમ (૩) ના અનુસંધાનમાં ૨૭ ૦૨ ૨૦૨૫ ના રોજ સાયબર કાઇમ પોલીસ મથક, આઉટર નોર્થ દિલ્હી ખાતે નોંધાયેલ ઋઈંછ નં. ૦૪/૨૦૨૫ ઞ/જ ૩૧૮(૪) ઇગજ ની તપાસ દરમિયાન એ જાહેર કરવામાં આવ્યું છે કે હાલની તપાસના સંબંધમાં, તમારી પાસેથી હકીકતો અને સંજોગો જાણવા માટે તમને પુછપરછ માટે પોલીસ મથક સાયબર ઘગઉ/બલવાના દિલ્હી ખાતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMવિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી
June 05, 2025 12:56 PMજામનગર જિલ્લાના એસપીનો વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાની જનતાને સંદેશો
June 05, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech