માલીયાસણ બ્રિજ અને કટારીયા ચોકડી પાસે વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધેલા ૧૭ પશુ મળી આવ્યા

  • June 01, 2024 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીવદયાપ્રેમીએ વાહનો રોકાવી કુવાડવા રોડ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી


શહેરની ભાગોળે માલીયાસણ બ્રિજ નજીક આઇસરમાંથી ૧૨ પશુ અને કટારીયા ચોકડી પાસે પીકઅપ વાહનમાંથી ૫ પશુને ક્રુરતાપૂર્વક બાંધી લઇ જવામાં આવી રહ્યા હોય જીવદયાપ્રેમીએ પોલીસને જાણ કરી આ પશુને છોડાવ્યા હતાં.આ મામલે કુવાડવા રોડ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પર પુષ્કરધામ એવન્યુમાં રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધીયાડ(ઉ.વ ૩૩) દ્વારા કુવાડવા રોડ  પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આઇસર નંબર જીજે 14 ઝેડ 7580 ના ચાલક લખન પરબતભાઈ કરંગીયા (રહે. ભંડારીયા તા. ખંભાળિયા)નું નામ આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને મળેલી માહિતી મુજબ રાત્રિના માલીયાસણ બ્રિજ પાસે આઇસર અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી નવ ભેંસ અને ત્રણ પાડા બાંધી રાખ્યા હોય આ બાબતે પૂછતા આ પશુ તાપી વ્યારા ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાહનમાં આ પશુઓને બાંધી તેની હેરફેર કરવામાં આવતી હોય જેથી આમ મામલે જીવદયાપ્રેમીની ફરિયાદ પરથી પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.


 ભાવિનભાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોખડદળમાં રહેતા જયરાજ રાજુભાઈ ચાવડા અને સાહિલ કરીમભાઈ બેલી (રહે. ભીલવાસ,રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઠારીયા ચોકડી પાસે તેમણે શંકાસ્પદ  ટાટા પીકપ વાહન અટકાવતા તેમાં ત્રણ ભેંસ અને બે પાડા બાંધી રાખ્યા હોય જેથી આ બંને શખસો આ ફરિયાદ નોંધાવી છે. જેમાં અમને પોલીસે પશુ પ્રત્યેક ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application