કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ, 4 દિવસની યાત્રામાં ભક્તોની સંખ્યા એક લાખને પાર

  • May 14, 2024 09:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થઈ છે. ત્યારે 4 દિવસની યાત્રા દરમિયાન કેદારનાથ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે.


ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની યાત્રા શરૂ થયાને 4 દિવસ વીતી ગયા છે. કેદારનાથ ધામના દર્શન કરવા લાખો ભક્તો આવી રહ્યા છે. માહિતી પ્રમાણે 4 દિવસની યાત્રા દરમિયાન કેદારનાથ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે.


કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટી

ઉત્તરાખંડમાં 10મી મેના રોજ અક્ષય તૃતીયાના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ હતી. અક્ષય તૃતીયાના શુભ અવસર પર યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદ્દભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે.


છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં હળવી હિમવર્ષા અને વરસાદ જેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. જોકે, વહીવટીતંત્રે મુસાફરોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની સૂચના આપી છે. યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામ સિવાય બદ્રીનાથ ધામના દરવાજા પણ 12 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application