સોમનાથમાં શ્રાવણ માસના સોમવારે શિવ ભકતોની ભીડ

  • August 13, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થ શ્રદ્ધાળુઓથી છલકાયું હતું. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ બમબમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે શાંતિપૂર્ણ રીતે સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે કતારોમાં ઉભા હતા. નવી દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્રારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારભં કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભકતો જોડાયા હતા.
ત્યારે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં અનેકવિધ પૂજાઓ ભકતો દ્રારા નોંધાવવામાં આવી હતી. સોમનાથ મહાદેવની ૬૨ સોમેશ્વર મહાપૂજા, ૬૦ ધ્વજા પૂજા, સહિત દ્રાભિષેક પાઠ, બિલ્વ પૂજા, શૃંગાર પૂજા, સહિતની પૂજા ભાવિકો દ્રારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો ભાવિકો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application