આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતાં નામાંકિત હીરા પેઢીઓના કરોડોના રફ ડાયમંડ અટવાયા

  • April 07, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો થાય અને કસ્ટમ ક્લિયરન્સ પારદર્શક બને તે માટે આઈસગેટ સોફ્ટવેર બનાવાયું છે. આ સોફ્ટવેર RBIના સર્વર સાથે લિંક્ડ છે. આ સોફ્ટવેરમાં ખામી સર્જાતા સુરત મુંબઈના વેપારીઓના કરોડોના રફ ડાયમંડ અટવાયા છે.જેથી અનેક વેપારીઓને કામ પર મોટી અસર પડી છે.  


કોઈ વેપારી વિદેશમાંથી માલ ઈમ્પોર્ટ કરે ત્યારે તેની એન્ટ્રી કસ્ટમ દ્વારા આઈસગેટ સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવે છે, જેથી જે બેન્ક દ્વારા પેમેન્ટ કરવાનું હોય તે બેન્કને કસ્ટમ ક્લિયરન્સની એન્ટ્રી ઓનલાઈન દેખાય છે. હાલ આ સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવથી અનેક બેંકોમાં એન્ટ્રી થતી ન હોવાથી હીરા વેપારીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.



આઈસગેટ સોફ્ટવેરમાં ખામી સર્જાતાં સુરત-મુંબઈના નામાંકિત હીરા વેપારીઓના 1500 કરોડથી વધુ રફ ડાયમંડના 500 પાર્સલ કસ્ટમ ક્લિયરન્સ થયા નથી. શહેરના વેપારીઓ દુબઇ, હોંગકોંગ, રશિયા, બોત્સવાના સહિતના દેશોમાંથી રફ ડાયમંડ આયાત કરે છે. પેમેન્ટ સિસ્ટમ પારદર્શક રાખવા આઇસગેટ સિસ્ટમ બનાવાઇ છે, જેમાં બિલની એન્ટ્રી થતી ન હોવાથી ડ્યૂટી કે જીએસટી ભરી શકાતા ન હોવાથી માલ છોડાવી શકાતો નથી. સુરતની મોટી ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓના 20-20 પાર્સલો અટવાયા છે.હાલ આઈસગેટ સોફ્ટવેર અપડેટ થઇ રહ્યું હોવાથી અમુક બેન્કોમાં જ એન્ટ્રી દેખાઇ રહી છે. સુરત-મુંબઈના 1500 કરોડથી વધુના રફ હીરાના 500 પાર્સલો અટવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application