પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની એન્ટ્રી નહીં કરતા એસઓજી ત્રાટકી
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક હોટલના સંચાલક સામે એસ.ઓ.જી. ની ટીમે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે. હોટલ સંચાલક દ્વારા છેલ્લા એપ્રિલ માસથી પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહીં કરાવી જિલ્લા કલેકટરના જાહેરનામાના સરેઆમ ભંગ કર્યો હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક આવેલી ક્રિષ્નમ હોટલ કે જેના સંચાલક દ્વારા તારીખ ૧.૪.૨૦૨૩ થી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પોતાની હોટલમાં ઉતરનારા નાગરિકો સંબંધી માહિતી પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની હોય છે, જે અંગેની કોઈ પણ પ્રકારની એન્ટ્રી કરી ન હતી, અને જિલ્લા કલેકટર ના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.
જામનગરની એસ.ઓ.જી. શાખાની ટીમ દ્વારા ઉપરોક્ત હોટલ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવતાં તે અંગેની ક્ષતિ સામે આવી હતી. જેથી એસ.ઓ.જી. ની ટિમ દ્વારા હોટલના સંચાલક મેઘપર ગામમાં રહેતા મેહુલસિંહ વનરાજસિંહ જાડેજા સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ અંગેની કલમ હેઠળ મેઘપર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.
આ કાર્યવાહીને લઈને કેટલીક હોટલના સંચાલકો, કે જેઓ પથિક સોફ્ટવેરમાં પોતાની હોટલ સંબંધી માહિતી ની એન્ટ્રી કરાવતા નથી, તેવા હોટલ સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech