જન્માષ્ટમીના પર્વની શ્રૃંખલા બોળચોથથી શ થઇ છે ત્યારે પોરબંદર શહેરમાં ઠેર -ઠેર ગૌપૂજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ કે ગાયપૂજણી એટલે કે બોળચોથના વ્રતમાં તેમણે સ્વગૃહે ગૌપૂજન કરીને ગાયના કાનમાં ‘વ્રત અમારુ, સત તમારુ’ એવો મંત્ર બોલી આશીર્વાદ મેળવ્યા હતા અને ગાયની પ્રદક્ષિણા કરી હતી. તેમના દાદીમા કંકુમા દ્વારા આવી પ્રેરણા વર્ષો પહેલા આપવામાં આવી હતી ત્યારથી નિયમિત રીતે તેઓ પૂજન કરે છે. એ જ રીતે પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગાયનું પૂજન થયુ હતુ ત્યારે ગૌપ્રેમી વિમલભાઇ કારીયાએ જણાવ્યું હતુ કે લોકો સમગ્ર વર્ષ ગૌધનને ‘હો.. હો... હે...હે...’ કરે છે અને એક દિવસ માટે ગાયની પૂજા કરે છે તેથી અફસોસ સાથે કહેવુ પડે છે કે કલિયુગમાં ચાર બંગડીવાળી ગાડી રાખવાની જગ્યા છે પણ લોકોને ગાય રાખવા માટેની જગ્યા ઘરમાં નથી તેવો કટાક્ષ અને આક્રોશ વ્યકત કર્યા હતા (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : વગડ ચોકડીએ અક્સ્માત થતા કાર પલટી મારી ગઈ
May 17, 2025 10:54 AMસાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ
May 17, 2025 10:52 AMખંભાળિયાઃ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિકનું મશીન બગડી જતાં દર્દીઓ પરેશાન
May 17, 2025 10:47 AMયુએનએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને 6.3 ટકા કર્યો
May 17, 2025 10:46 AMવિછીયા તાલુકામાં ખેડૂતોને વીજ કનેક્શન ટાઈમે ન મળતા ખેડૂત સેવા સંગઠનની રજૂઆત
May 17, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech