જન્માષ્ટમીના પર્વની શ્રૃંખલા બોળચોથથી શ થઇ છે ત્યારે પોરબંદર શહેરમાં ઠેર -ઠેર ગૌપૂજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યુ હતુ કે ગાયપૂજણી એટલે કે બોળચોથના વ્રતમાં તેમણે સ્વગૃહે ગૌપૂજન કરીને ગાયના કાનમાં ‘વ્રત અમારુ, સત તમારુ’ એવો મંત્ર બોલી આશીર્વાદ મેળવ્યા હતા અને ગાયની પ્રદક્ષિણા કરી હતી. તેમના દાદીમા કંકુમા દ્વારા આવી પ્રેરણા વર્ષો પહેલા આપવામાં આવી હતી ત્યારથી નિયમિત રીતે તેઓ પૂજન કરે છે. એ જ રીતે પોરબંદર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગાયનું પૂજન થયુ હતુ ત્યારે ગૌપ્રેમી વિમલભાઇ કારીયાએ જણાવ્યું હતુ કે લોકો સમગ્ર વર્ષ ગૌધનને ‘હો.. હો... હે...હે...’ કરે છે અને એક દિવસ માટે ગાયની પૂજા કરે છે તેથી અફસોસ સાથે કહેવુ પડે છે કે કલિયુગમાં ચાર બંગડીવાળી ગાડી રાખવાની જગ્યા છે પણ લોકોને ગાય રાખવા માટેની જગ્યા ઘરમાં નથી તેવો કટાક્ષ અને આક્રોશ વ્યકત કર્યા હતા (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૧ બોટલ રક્ત એકત્રિત થયુ
April 25, 2025 05:07 PMપાકિસ્તાનીઓને વીણી વીણીને કાઢી મુકો... અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આદેશ આપ્યો
April 25, 2025 05:03 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech