શહેરના રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના આગેવાન, લઘુમતી અગ્રણી અને હજ કમિટીના નેશનલ મેમ્બર ઇલ્યાસખાન પઠાણ તથા તેના પુર આસીફની ઘરમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના 10 વર્ષ પહેલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં સેશન્સ અદાલતે બે આરોપી અબ્બાસ અનવરભાઇ કચરા અને સાજીદ હુશેનભાઇ કચરાને તકસીરવાર ઠરાવી સજાનો હુકમ તા. ૧૯ માર્ચે સંભળાવવાનું જાહેર કર્યું છે.
આસીફને ગંભીર ઇજા થઇ હતી
આ કેસની હકીકત મુજબ રૈયા રોડ પર સુભાષનગર શેરી નં.9માં રહેતા ઇલ્યાસખાન પઠાણના ઘરમાં ૨૨ ઓગષ્ટ, ૨૦૧પના શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં ઘૂસી ગયેલા કચરા પરિવારના સભ્યોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, તેમજ છરી, ધોકાથી હૂમલો કર્યો હતો. કચરા પરિવાર અને પઠાણ પરિવાર વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં ભાજપ અગ્રણી અને હજ કમિટીના નેશનલ સભ્ય ઇલ્યાસખાન પઠાણ તથા તેના આસીફને ગંભીર ઇજા થઇ હતી. મોટા પુત્ર આરીફને પણ છરીના ઘા મરાયા હોવાથી ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃત્યુ થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો
સામા પક્ષે અબ્બાસ અનવભાઇ કચરાને પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલામાં ઘવાયેલા લઘુમતી આગેવાન ઇલ્યાસખાન અને તેના પુત્ર આસિફની સારવાર કારગત ન નિવડતા બંનેના મૃત્યુ થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. પોલીસે સ્થળ પરથી રિવોલ્વર, પિસ્ટલ, છરી, ધોકો, બાઇક અને ફૂટેલા કારતૂસના ખોખા કબ્જે કર્યા હતા.
સજાનો હુકમ ૧૯ માર્ચે સંભળાવવામાં આવશે
આ બનાવમાં ઇલ્યાસખાનના પુત્ર આરીફે જે તે વખતે ફરિયાદમાં અબ્બાસ અનવરભાઇ કચરા અને સાજીદ ઉર્ફે મોહસીન હુશેનભાઇ કચરા સહિત પાંચથી છ શખ્સો વિરૂધ્ધ ડબલ મર્ડર તેમજ હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો તેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે બન્ને આરોપી અબ્બાસ અનવરભાઇ કચરા તથા સાજીદ હુશેનભાઇ કચરાને હત્યાના ગૂનામાં તકસીરવાર ઠેરવ્યા છે. સજાનો હુકમ ૧૯ માર્ચે સંભળાવવામાં આવશે, તેમ અદાલતે જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech