રાજકોટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી: હીરાસર એરપોર્ટ હાઇવે નજીક રોડ ઘસી પડ્યો, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ?

  • August 27, 2024 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વખતે વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઇ છે. કેટલીક જગ્યાએ બ્રિજ તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ રોડ તૂટવાના બનાવ સામે આવ્યા છે. રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક બનેલો રોડ ભારે વરસાદમાં ધોવાઇ ગયો છે. વરસાદમાં ખખડધજ બની ગયેલા આ રોડ પર કોઇ મોટી દૂર્ઘટના સર્જાય તેની રાહ તંત્ર જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આ રોડ પર કોઇ સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી.



તંત્રનો ભ્રષ્ટાચાર આવ્યો સામે



રાજકોટ-લીંબડી હાઇવે ઉપર હિરાસર એરપોર્ટ નજીક રોડ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઇ છે. આ રોડનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે થોડા વરસાદમાં જ રોડ ઉબડખાબડ થઇ ગયો છે અને એક તરફનો રોડ જ તૂટી ગયો છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે તેનો જીવતો જાગતો પુરાવો જોઇ શકાય છે. 


રાજકોટ લીંબડી હાઇવે પર અનેક વાહનોની અવર જવર રહે છે ત્યારે આ રોડ તૂટી જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application