જામનગરમાં પૂર ઓસાર્યા બાદ ભ્રષ્ટાચારનો ફૂટ્યો ભાંડો રસ્તાઓનું કચ્ચરઘાણ

  • August 30, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિનાશના ખૌફનાક દ્રશ્યો સામે આવ્યા: નવા બનેલા રસ્તાઓનું પણ ધોવાણ થઇ ગયું: ઘરવખરી, ખેતીની નુકશાનીનો આંક પણ ચોંકાવનારો નીકળશે


જન્માષ્ટમીના આ વખતેના તહેવારો લોકો માટે ભારે મુશ્કેલીજનક રહ્યા હતાં, મેઘરાજાએ કોપાયમાન બનીને જામનગર-દ્વારકા સહિત સમગ્ર હાલાર પર જાણે બારે મેઘ ખાગા કરી દીધા હોય તેવી સ્થિતી સર્જાઇ હતી, અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર થતા અનેક વિસ્તારો જળની જકડમાં આવી ગયા હતાં અને પુરના પાણી ઓસયર્િ બાદ વિનાશના વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, અહિંના નાગેશ્ર્વર જતો રસ્તો પુરના પાણીથી તબાહ થઇ ગયો છે, નવા બનેલા બેઠા પુલની જે ર્દુદશા છે તે આ તસ્વીરોમાં જોઇ શકાય છે અને વાસ્તવમાં પુરના પાણી ઓસયર્િ બાદ ભ્રષ્ટાચારના ભાંડા ફુટ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે, તબાહીનો આપતો ખુબજ ચોકાવનારો છે, લગભગ તમામ માર્ગોના ધોવાણ થઇ ગયા છે, ઘરવખરી, ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે, સાચી રીતે સર્વે થશે તો તબાહીનો આકડો સામે આવશે પરંતુ સવાલ એ ઉઠે છે કે રોડ-રસ્તાના કામમાં કેટલી હદે ગોબાચારી થાય છે તેના જીવતા જાગતા પુરાવા મળ્યા છે ત્યારે જોવાનું એ છે કે આવા ભ્રષ્ટાચારીઓ પર રાજય સરકાર લાલ આંખ કરે છે કે નહિં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application