જામનગર શહેરમાં ૧૩ અને લાખાબાવળમાં ૧ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ
જામનગર શહેરમાં આઠેક દિવસથી કોરોનાએ માઝા મુકી છે અને કુલ ૬૯ લોકોને કોરોના પોઝીટીવ થયો છે જેમાં ૨૧ દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે, શનિવારે ૯ અને રવિવારે ૪ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં જયારે લાખાબાવળમાં રહેતી ૧ વર્ષની બાળકીને પણ કોરોના પોઝીટીવ થયો હતો, શહેરના અનેક વિસ્તારોને કોરોએ ઝપટમાં લીધા છે ત્યારે દિન-પ્રતિદિન કોરોના વધતો જાય છે અને ગઇકાલ સાંજ સુધીમાં ૪૮ દર્દીઓ એકટીવ કેસમાં છે.
આરોગ્ય વિભાગના ડોકટરોના જણાવ્યા મુજબ શનિવારે ડેન્ટલ કોલેજમાં ૨૦ વર્ષના પુષ, ૨૩ વર્ષની સ્ત્રી, પીજી હોસ્ટેલમાં ૧૯ વર્ષના પુષ અને પાર્ક કોલોનીમાં ૫૮ વર્ષના વૃઘ્ધનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જયારે જડેશ્ર્વર પાર્કમાં ૬૩ વર્ષની પ્રોઢા અને પવનચકકીમાં ૧૫ વર્ષની યુવતિ, ગોકુલધામમાં ૬૦ વર્ષના વૃઘ્ધ, તુલસી પાર્ટી પ્લોટ પાસે ૩૨ વર્ષની સ્ત્રી, ખારવા ચકલામાં ૫૫ વર્ષની વૃઘ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જયારે રવિવારે સાંજે કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા અનુસાર પટેલકોલોનીમાં ૮૩ વર્ષના વૃઘ્ધ, લાલપુર બાયપાસ પાસે રહેતા ૩૯ વર્ષના યુવાન, ગુદ્વારા પાસે રહેતી ૫૦ વર્ષની પ્રોઢા અને હિરજી મીસ્ત્રી રોડ પર રહેતી ૨૧ વર્ષની યુવતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
રવિવારે ૩ દર્દીને ડીસ્ચાર્જ કરાયા છે, આમ અત્યાર સુધીમાં કુલ ૨૧ દર્દી ડીસ્ચાર્જ કરાયા છે જયારે હાલ ૪૮ દર્દીઓ કાર્યરત છે, ગામડાઓમાં પણ કોરોના વધતો જાય છે, જામનગરની ૧૦ કિ.મી. દુર આવેલા લાખાબાવળમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે અને માત્ર ૧ વર્ષની નાની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ગઇકાલે સમગ્ર રાજયમાં ૧૮૫ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે, અત્યાર સુધીમાં ૯૮૦ દર્દીઓમાંથી રાજયમાં ૯૪૮ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું પણ સરકારે જાહેર કર્યુ છે.
જામનગરમાં કોરોના વધતો જાય છે ત્યારે લોકોને સાવચેતી રાખવા પણ ડોકટરોએ સલાહ આપી છે, ભીડભાડવાળા વિસ્તારમાં પણ લોકોને ન જવા અથવા માસ્કનો વધુ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી છે, પાણીનો સતત ઉપયોગ કરવો, તાવ, શરદી લાગે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવા પણ ડોકટરોએ અનુરોધ કર્યો છે.