વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ થઈ ગયા છે. તેના અમદાવાદ, સુરત અને વડોદરામાં શો થવાના હતા. જોકે, કોમેડી શોમાં અશ્લીલતા મામલે FIR દાખલ થતા ગુજરાતમાં આયોજકોએ સમય રૈનાના શો રદ કરી નાખ્યા છે. શો માટે ટિકિટ પણ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી.
સમય રૈનાના ગુજરાતમાં શોનું નામ સમય રૈના અનફિલ્ટર્ડ હતું. આ નામ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, કોમેડીના નામે બેફામ કોમેન્ટ્સ થશે. 1:30 કલાકનો આ શો ફક્ત 18 પ્લસ ઉંમરના માટેનો હતો અને ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું હતું. ટિકિટના ભાવ રૂપિયા 999 રાખવામાં આવ્યા હતા.
અમદાવાદ અને સુરતમાં શો હાઉસફુલ થયા હતા
સમય રૈના અનફિલ્ટર્ડ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું હતું. રૈનાના શોની શરૂઆત અમદાવાદથી થવાની હતી. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાવાના હતા. જેમાંથી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો. સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાવાના હતા. જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો સંપૂર્ણપણે બુક થઈ ગયો હતો.
રવિવારે બે ક્લિપ વાઈરલ થઈ હતી
આ વિવાદનું મૂળ સમય રૈના અને યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીના 'ઇન્ડિયા ગોટ લાટેન્ટ'ના શોની ક્લિપ્સમાં રહેલું છે. જે રવિવારે વાઈરલ થઈ હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ કન્ટેન્ટને કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મુંબઈ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને regularisation અને લોકોમાં freedom of speechની માગ ઊઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત બગડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ
February 20, 2025 11:30 PMભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની જીત સાથે કરી શરૂઆત, બાંગ્લાદેશને હરાવ્યું 6 વિકેટે
February 20, 2025 10:10 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, હવામાન વિભાગની ચેતવણી, પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે
February 20, 2025 09:39 PMવેરાવળમાં આરોગ્ય વિભાગની લાલ આંખ: 7 હોસ્પિટલોને ફટકારી નોટિસ
February 20, 2025 09:38 PMયુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના છૂટાછેડા, સંબંધોનો અંત, કાનૂની પ્રક્રિયા પૂર્ણ, સોશિયલ મીડિયા પર પોસ્ટ
February 20, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech