વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ, અમદાવાદ, સુરત, વડોદરામાં થવાના હતા શો

  • February 12, 2025 05:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ થઈ ગયા છે. તેના અમદાવાદ, સુરત અને વડોદરામાં શો થવાના હતા. જોકે, કોમેડી શોમાં અશ્લીલતા મામલે FIR દાખલ થતા ગુજરાતમાં આયોજકોએ સમય રૈનાના શો રદ કરી નાખ્યા છે. શો માટે ટિકિટ પણ સોલ્ડ આઉટ થઈ ગઈ હતી.


સમય રૈનાના ગુજરાતમાં શોનું નામ સમય રૈના અનફિલ્ટર્ડ હતું. આ નામ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે, કોમેડીના નામે બેફામ કોમેન્ટ્સ થશે. 1:30 કલાકનો આ શો ફક્ત 18 પ્લસ ઉંમરના માટેનો હતો અને ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું હતું. ટિકિટના ભાવ રૂપિયા 999 રાખવામાં આવ્યા હતા.


અમદાવાદ અને સુરતમાં શો હાઉસફુલ થયા હતા
સમય રૈના અનફિલ્ટર્ડ નામના આ શોનું આયોજન અમદાવાદ, સુરત અને વડોદરામાં કરવામાં આવ્યું હતું. રૈનાના શોની શરૂઆત અમદાવાદથી થવાની હતી. અમદાવાદમાં 19 અને 20 એપ્રિલે ઔડા ઓડિટોરિયમ, શેલા ખાતે બે-બે શો યોજાવાના હતા. જેમાંથી 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો શો પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો. સુરતમાં 17 એપ્રિલે સંજીવકુમાર ઓડિટોરિયમમાં બે શો યોજાવાના હતા. જેમાં રાત્રે 8:30 વાગ્યાનો શો સંપૂર્ણપણે બુક થઈ ગયો હતો.


રવિવારે બે ક્લિપ વાઈરલ થઈ હતી
આ વિવાદનું મૂળ સમય રૈના અને યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદીના 'ઇન્ડિયા ગોટ લાટેન્ટ'ના શોની ક્લિપ્સમાં રહેલું છે. જે રવિવારે વાઈરલ થઈ હતી. આ ક્લિપ્સમાં અશ્લીલ કન્ટેન્ટને કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. મુંબઈ પોલીસે સમય રૈના, રણવીર અલ્લાહાબાદી સહિત આશિષ ચાંચલાની, જસપ્રીતસિંહ અને અપૂર્વ માખીજા સામે તપાસ શરૂ કરી છે. આ વિવાદને લઈ OTT પ્લેટફોર્મ માટે સેન્સર અને કન્ટેન્ટને regularisation અને લોકોમાં freedom of speechની માગ ઊઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application