ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ માહિતી આપી છે કે 20 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 8.48 બિલિયન ડોલરથી ઘટીને 644.39 બિલિયન ડોલર થઈ ગયો છે. તેના કારણે છેલ્લા સપ્તાહમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 1.99 બિલિયન ડોલર ઘટીને 652.87 બિલિયન ડોલરની છ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
છેલ્લા કેટલાક સપ્તાહથી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડાનું કારણ વિદેશી વિનિમય બજારમાં આરબીઆઈનો હસ્તક્ષેપ તેમજ રૂપિયાની વધઘટને ઘટાડવા માટે મૂલ્યાંકન માનવામાં આવી રહ્યું છે.
સપ્ટેમ્બરના અંતે, વિદેશી મુદ્રા ભંડાર વધીને 704.88 બિલિયન ડોલરની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. જાહેર કરાયેલા આંકડા અનુસાર, 20 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર અથવા વિદેશી મુદ્રા સંપત્તિનો મોટો હિસ્સો 6.01 બિલિયન ડોલર ઘટીને 556.56 બિલિયન ડોલર થઈ ગયો છે. વિદેશી ચલણ અસ્કયામતો, ડોલરના સંદર્ભમાં વ્યક્ત કરવામાં આવે છે, જેમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય 2.33 અબજ ડોલર ઘટીને 65.73 અબજ ડોલર થયું છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 112 મિલિયન ડોલર ઘટીને 17.88 બિલિયન ડોલર થયા છે. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) પાસે ભારતની અનામત પણ 23 મિલિયન ડોલર ઘટીને 4.22 બિલિયન ડોલર થઈ ગઈ છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશના વિદેશી હૂંડિયામણના ભંડાર વિશે પણ ચચર્િ થઈ હતી જેમાં નાણા મંત્રાલયે તત્કાલીન ફોરેક્સ ડેટા આપ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તે 700 બિલિયન યુએસ ડોલર (704.88 બિલિયન યુએસ ડોલર)ની સર્વકાલીન ઊંચી સપાટી હતી.
બીજા ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ ઘટીને જીડીપીના 1.2 ટકા થઇ
2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ નજીવી ઘટીને 11.2 બિલિયન ડોલર થઈ છે. આ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 1.2 ટકા છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. કરન્ટ એકાઉન્ટ ડેફીસીટ, ચાલુ ખાતાની ખાધ જે દેશના બાહ્ય ચૂકવણીના દૃશ્યનો ખ્યાલ આપે છે, તે 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 11.3 બિલિયન ડોલર અથવા જીડીપીના 1.3 ટકા હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ભારતની ચાલુ ખાતાની ખાધ ક્વાટર-2 2023-24માં જીડીપીના 1.3 ટકાથી નજીવું ઘટીને 2024-25ના ક્વાટર-2 માં જીડીપીના 1.2 ટકા થયું છે. એપ્રિલ-સપ્ટેમ્બર (પ્રથમ અર્ધવાર્ષિક) દરમિયાન ચાલુ ખાતાની ખાધ 2024-25), 21.4 બિલિયન ડોલર એટલે કે જીડીપી તે 1.2 ટકા હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech