પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસ. દ્વારા બંધારણ દિવસની ભવ્ય ઉજવણી સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે બંધારણ દિવસને અનુલક્ષી વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ,મુખ્ય વક્તા તરીકે ડો.એમ.એન.વાઘેલા દ્વારા બંધારણના ઘડવૈયાઓનો પરિચય અને તેઓએ કરેલા અથાક પુરુષાર્થ અંગે જણાવ્યું હતુ કે,ભારતનું બંધારણ બે વર્ષ અગિયાર મહિના અને ૧૮ દિવસ બાદ તા.૨૬-૧૧-૧૯૪૯ ના રોજ સ્વીકૃત થયું અને તેનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં થયેલ. ભારતીય બંધારણની શઆતમાં આમુખ આવે છે,આમ જોઈએ તો આમુખ તે આપણા બંધારણનો ભાગ નથી,આમ છતાં બંધારણમાં તેનું વિશિષ્ટ સ્થાન રહેલું છે.૪૨ માં બંધારણીય સુધારા ૧૯૭૬ થી બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો છે.આમુખમાં મુળ શબ્દ સાર્વભૌમ પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ બંને શબ્દો નવા ઉમેરવામાં આવ્યા છે.અને આ રીતે આમુખમા ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય તરીકે વર્ણવામાં આવેલ છે.
આપણું બંધારણ જે આદર્શો અને ધ્યેય સિદ્ધ કરવા ઈચ્છે છે,તેનું આમુખમાં વર્ણન કરાયેલું છે.આમુખ આપણા બંધારણ ઘડવૈયાઓનું માનસ સમજવાની ચાવી છે.કોઈપણ કાયદાને પુરી રીતે સમજવા માટે તેના આમુખ પર ધ્યાન આપવું જરી છે.
બંધારણમાં આપેલા મુળભુત અધિકારોની જાણકારી આપતા પ્રોફેસર વાઘેલાએ જણાવ્યું હતુ કે,મુળભુત અધિકારોનો ખ્યાલ એવા પ્રકારનો છે કે, આ કુદરતી અધિકારો છે મનુષ્ય વિચારશીલ અને સામાજિક પ્રાણી હોવાના લીધે દરેક વ્યક્તિને આ નૈતિક અધિકારો મળવા જ જોઈએ.પરંતુ ભારતીય બંધારણને મુળભુત અધિકારો કુદરતી અધિકારો હોવાની વાત સ્વીકારેલ નથી. ભારતીય બંધારણમાં છ પ્રકારના મુળભુત અધિકારો જોવા મળે છે.
સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઉપચારોનો અધિકાર જે અંગે જીણવટ પુર્વક વાત મુકી વિદ્યાર્થીઓનું ધ્યાન મુળભુત ફરજો પ્રત્યે પણ દોરવામાં આવ્યુ હતુ.વ્યાખ્યાનના અંતે આમુખનું પઠન કરવામાં આવ્યુ હતુ.
એન.એસ.એસ.ની સ્વયંસેવિકા બહેનો દ્વારા ગોઢાણિયા કોલેજ થી લઈ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પદયાત્રા કરીએ પ્રતિમાએ પુષ્પમાળા અર્પણ કરી આમુખનું પઠન કરવામાં આવ્યુ હતુ.સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.એમ.એન.વાઘેલા અને ડો. મધુબેન ગલચર દ્વારા કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમની સફળતા બદલ અને બંધારણ દિવસ નિમિત્તે સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા અને કાર્યકારી પ્રિન્સિપાલ ડો.કેતનભાઇ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech