સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર જીએસટી વધારીને ૪૦% કરવા અને ૨૦૨૬ માં વળતર સેસ સમા થયા પછી વધારાની એકસાઇઝ ડુટી ઉમેરવાની વિચારણા સરકાર કરી રહી છે. હાલમાં, આ ઉત્પાદનો પર ૨૮% જીએસટી અને અન્ય ટેકસ મળીને કુલ ૫૩% ટેકસનો સામનો કરવો પડે છે, જે વિશ્વ આરોગ સંસ્થા દ્રારા ભલામણ કરાયેલ ૭૫% કરતા ઓછી છે. જીએસટી કાઉન્સિલ આગામી બેઠકમાં ભલામણો પર નિર્ણય લે તેવી
શકયતા છે.
છેલ્લા સાત વર્ષેામાં, ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી ) લાગુ થયા પછી, તમાકુ અને ખાંડ–મીઠા પીણાં જેવા હાનિકારક ઉત્પાદનો પર જીએસટી દરમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. આનાથી આ ઉત્પાદનો વધુ સસ્તું બન્યા છે, જેના કારણે તેમના વપરાશને રોકવાના પ્રયાસોને નબળા પડા છે. આ સંદર્ભમાં, મંત્રીઓના જૂથ દ્રારા તમાકુ અને ખાંડ–મીઠા પીણાં પરનો ઉચ્ચતમ જીએસટી સ્તર ૨૮% થી વધારીને ૩૫% કરવાનો પ્રસ્તાવ એક સ્વાગતપાત્ર પગલું છે. જો કે, આ ઉત્પાદનો સાથે સંકળાયેલા જાહેર આરોગ્ય અને નાણાકીય પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે વધુ કર સુધારા જરી છે.
ભારત વૈશ્વિક સ્તરે તમાકુનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, યાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના ૨૮.૬% પુખ્ત વયના લોકો અને ૧૩ થી ૧૫ વર્ષની વયના ૮.૫% વિધાર્થીઓ કોઈને કોઈ સ્વપમાં તમાકુનો ઉપયોગ કરે છે. તમાકુ બિન–ચેપી રોગો માટેનું એક અગ્રણી જોખમ પરિબળ છે અને ભારતમાં દરરોજ ૩,૫૦૦ થી વધુ મૃત્યુનું કારણ બને છે. ૨૦૧૭ માં, તમાકુના ઉપયોગ અને સેકન્ડ હેન્ડ ધૂમ્રપાનનો વાર્ષિક આર્થિક બોજ છ૨,૩૪૦ બિલિયન અથવા ના ૧.૪% હોવાનો અંદાજ હતો – જે તમાકુ કર આવકમાં વાર્ષિક ૫૩૮ બિલિયન કરતાં ઘણો વધારે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech