સહમતિથી બનાવેલા શારીરિક સંબંધ બળાત્કાર ન હોઈ શકે

  • April 08, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક ચુકાદામાં જાહેર કર્યું છે કે જ્યારે કોઈ મહિલા શારીરિક સંબંધ બાંધવા માટે તર્કસંગત પસંદગી કરે છે, ત્યારે લગ્નના ખોટા વચનના સ્પષ્ટ પુરાવા ન હોય ત્યાં સુધી તેની સંમતિને ખોટી માન્યતા પર આધારિત ન કહી શકાય. જસ્ટિસ અનુપ કુમાર મેંદિરત્તાએ એક વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારના કેસને રદબાતલ કરતા આ વાત કહી કે ’સહમતિથી બનાવેલા શારીરિક સંબંધ રેપ ન હોઈ શકે’

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે પણ કોઈ મહિલા પરિણામોને સંપૂર્ણ રીતે સમજ્યા પછી શારીરિક સંબંધ બાંધવા માટે તર્કસંગત પસંદગી કરે છે, ત્યારે ’સંમતિ’ એ હકીકતની ખોટી માન્યતા પર આધારિત ન કહી શકાય, સિવાય કે સ્પષ્ટ પુરાવા હોય.

નોંધનીય છે કે મહિલાએ તે વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેણે લગ્નના બહાને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, પરંતુ બાદમાં તેણીએ એમ કહીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કે તેના પરિવારે તેણીના લગ્ન કોઈ અન્ય સાથે નક્કી કરી દીધા છે. બાદમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ અને ફરિયાદીએ તેમનો વિવાદ ઉકેલી લીધો અને કોર્ટમાં લગ્ન કરી લીધા.
ફરિયાદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તે પુરુષ સાથે સુખેથી રહે છે અને તે એફઆઈઆર આગળ વધારવા માંગતી નથી, જે ખોટી ધારણ હેઠળ દાખલ કરવામાં આવી હતી કારણ કે આરોપી તેના પરિવારના વિરોધને કારણે લગ્ન કરવા માંગતો નહોતો. કોર્ટે કહ્યું કે અરજદાર અને પ્રતિવાદી વચ્ચેના સંબંધના રવૈયાને જોતા, એવું લાગતું નથી કે આવું કોઈ કથિત વાયદો ખરાબ વિશ્વાસથી અથવા મહિલાને છેતરવા માટે આપવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તપાસ ચાલી રહી હતી, ત્યારે તે વ્યક્તિએ પોતે એ જ મહિલા સાથે લગ્ન કયર્િ હતા અને તેથી એવું માની શકાય નહીં કે તેણે શરૂઆતમાં જે વચન આપ્યું હતું તે પૂરું ન કરવાના ઈરાદાથી તેણે આવું કર્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application