મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત, સુરક્ષામાં વધારો

  • March 26, 2025 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સ્થળે ભારે ચર્ચા જાગી હતી. આ ઘટનામાં કોંગ્રસ સેવાદલ મંત્રી રણજીત મુંધવા & કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજાને પણ આજીડેમ ચોકીમાં બેસાડવામાં આવ્યા હતા.


પોલીસના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા હતી, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.


કોંગ્રેસના કાર્યકરોની અટકાયત અને સુરક્ષામાં વધારાને કારણે કાર્યક્રમ સ્થળે તંગદિલી જોવા મળી હતી. પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application