રાજકોટમાં કોંગ્રેસની સભા યોજાઈ પરંતુ ખડગે ન આવ્યા

  • May 03, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે સવારે ૧૧:૦૦ વાગે રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્ર્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રાઈબરેલીના ઉમેદવાર તરીકે રાહત્પલ ગાંધી આજે સવારે ફોર્મ ભરવાના હોવાથી એકાએક નક્કી થયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ખડગે અમદાવાદથી સીધા રાયબરેલી જવા નીકળી ગયા છે.

કોંગ્રેસના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે અમદાવાદ થી દિલ્હી અને ત્યાંથી રાયબરેલી પહોંચશે. રાહત્પલ ગાંધીના ઉમેદવારી પત્ર નોંધાવવાના કાર્યક્રમમાં હાજરી આપી સુરત અમદાવાદ આવવા પરત ફરશે અને સાંજે ૦૭:૦૦ વાગ્યે અમદાવાદમાં એકતા નગર ખાતે દાણીલીમડા ગામમાં તેની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં એકાએક ફેરફાર થવા છતાં કોંગ્રેસે સભા અને પત્રકાર પરિષદના તેમના આજના આયોજનો યથાવત ચાલુ રાખ્યા હતા અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ તથા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક સહિતનાઓએ સભાને તથા પત્રકાર પરિષદને સંબોધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application