કાલાવડના ડેરી ગામમાં શેરીમા ખાડો કરવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર

  • June 24, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પિતા-પુત્રને માર મારવા અંગે ફરિયાદ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં શેરીમાં ખાડો કરવાના પ્રશ્ને બે પાડોસી વચ્ચે  ઝઘડો થતાં પિતા-પુત્ર એ પાડોસી પિતા-પૂત્રને માર માર્યો હતો. જેથી પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા  રવિરાજસિંહ સહદેવસિંહ જાડેજા પોતાના ઘરે જતા હતા. ત્યારે તેની પડોસમાં રહેતા જયેન્દ્રસિંહ ગીરુભા જાડેજા   વીજ પોલ માટે શેરી મા  વચ્ચોવચ ખાડો કરી રહ્યા હતા. આથી રવિરાજસિંહે રસ્તામાં ખાડો કરવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.આથી જયેન્દ્રસિંહ ના પુત્ર મિતરાજસિંહે આજે રવિરાજસિંહ  ના પિતા ને ફડાકો માર્યો હતો. જ્યારે જયેન્દ્રસિંહે ફરિયાદી રવિરાજસિંહને પથ્થર.નો ઘા મારી ઈજા  પહોંચાડી હતી. આ બનાવ અંગે રવિરાજસિંહ જાડેજાએ આરોપી પિતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application