ગોંડલમાં રહેતી પરિણીતાની વેરાવળ સ્થિત પતિ,સાસુ–સસરા અને નણદં સામે ફરિયાદ

  • September 15, 2023 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ ગોંડલમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ વેરાવળમાં રહેતા પતિ સાસુ અને નણદં સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ, પાયલબેન નિકુંજસિંહ ઝાલા(ઉ.વ ૩૧) દ્રારા ગોંડલ મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરાવળમાં રહેતા પતિ નિકુંજસિંહ કિશોરભાઈ ઝાલા, ભાવનાબેન અને જૂનાગઢમાં રહેતી નણદં વૈશાલી મોહિતભાઈ રાઠોડના નામ આપ્યા છે.પરિણીતા હાલ ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે છે.


પ્રવીણભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લ દસ વર્ષ પૂર્વે વેરાવળના કિશોર ઝાલા સાથે થયા હતા. આ લજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી ધનશ્રી છે જે હાલ પરિણીતા સાથે છે લના છ વર્ષ સારી રીતે રાખ્યા બાદ સાસુ કહેવા લાગ્યા હતા કે, તને ઘરકામ આવડતું નથી રસોઈ પણ આવડતી નથી તેમ કહી મારમારતા હતા તેમજ નણદં પણ પરિણીતાના પતિને અવારનવાર કહેતી કે, પાયલને કાઢી મુક હત્પં તને આનાથી સારી શોધી આપીશ. સાસુ સસરા પણ પતિની ચઢામણી કરતા હોય જેથી પતિ કહેતો તું માવતર ચાલી જા મારે જોઈતી નથી.


પતિને દા પીવાની કુટેવ હોય દા પી રાત્રિના ઝઘડા કરતો હતો. પરંતુ ઘર સંસાર ચલાવું હોય પરિણીતાએ આ બાબતે કોઈને કઈં કહ્યું ન હતું. સાતેક માસ પૂર્વે પતિ રાત્રિના દા પી ઘરે આવ્યા બાદ ઝઘડો કર્યેા હતો અને મારમાર્યેા હતો જેથી સહન ન થતાં પરિણીતાએ પોતાની ત્રણ વર્ષની દીકરીને લઈ અહીં માવતર આવી ગઈ હતી. બાદમાં પતિએ નશાની હાલતમાં અવારનવાર ફોન કરી મારે સમાધાન નથી કરવું તું જોઈતી નથી તેમજ સાસરીયાવાળા પણ ફોન કરી કહેતા સમાધાન થાય તેમ નથી છૂટાછેડા કરાવી દો. અંતે પરિણીતાએ પતિ અને સાસુ–સસરા તથા નણદં સામે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application