જામનગરમાં નશાકારક પીણાનું વેચાણ કરતા બે વિક્રેતા સામે ફરીયાદ

  • January 13, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના કિશાન ચોક અને ભુજીયા કોઠા નજીક આવેલી બે દુકાનમાં સીટી-એ પોલીસે તપાસ કરતા શંકાસ્પદ કેફી પીણાની બોટલો મળી આવી હતી, જે અંગે તપાસણી અર્થે એફએસએલમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો દરમ્યાનમાં બે વેપારી સામે આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
શહેરના કિશાનચોકમાં રહેતા વેપારી કેતન ઉર્ફે ભીખો રાજેશ કનખરાની અહીં આવેલી ક્રિષ્ના પાન નામની દુકાનમાં તથા દિ.પ્લોટ ૨૯માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતી ગડાની તળાવની પાળ ભુજીયા કોઠા પાસે આવેલ શ્રીરામ પાનની દુકાનમાં ગત વર્ષમાં સીટી-એ દ્વારા દરોડો પાડીને શંકાસ્પદ કેફી પીણાની બોટલો બાબતે તપાસ કરી હતી અને એફએસએલ રાજકોટ ખાતે નમુના મોકલ્યા હતા જેનો રીપોર્ટ આવતા ગઇકાલે કેતન અને જીતેન્દ્રની સામે સીટી-એમાં ધ ગુજરાત નશાબંધી સુધારા અધીનીયમની કલમ ૬૫ એએ, ૬૭એ અને ૮૧ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application