મૈત્રી કરારથી રહેતી યુવતીને મરવા મજબૂર કરનાર પ્રેમી સામે ફરિયાદ

  • May 25, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટીમાં રહેતી યુવતીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.યુવતી જેની સાથે એક વર્ષથી મૈત્રી કરાર કરી રહેતી હતી તે શખસના ત્રાસથી કંટાળી મરવા મજબૂર થઇ હતી. આ અંગે યુવતીના ભાઇની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આરોપી સામે યુવતીને મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મોરબીમાં ભરતનગરમાં રહેતા હિરેનભાઇ શાંતિલાલભાઇ સૈજા(ઉ.વ ૩૨) દ્રારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં શિવધામ સોસાયટીમાં રહેતા ભગીરથ જીતેન્દ્રભાઇ વ્યાસનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનો એક ભાઇ બે બહેનનો પરિવાર છે જેમાં નાની બહેન નિધિના પ્રથમ લ જ્ઞાતિના ઉદયભાઇ સાથે થયા હતા.જે લ થકી તેને સંતાનમાં એક પુત્ર છે, પતિ સાથે ઘરકંકાશ થતા છુટાછેડા થયા હતા અને ત્યાર બાદ તેની બહેન મોટી બહેન સાથે રહેતી હોય ત્યા રણુજા મંદિર પાસે રહેતો ભગીરથ સાથે નિધિને પ્રેમ થઇ જતા તેને તેની સાથે લ કરવાની વાત કરી હતી પરંતુ પરિવારે ના પાડવા છતા તેની સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી.જેથી પરિવારે તેની સાથે સંબધં તોડી નાખ્યો હતો.
દરમિયાન તા.૧૮ના રોજ ફરિયાદીને તેની પિતરાઇ બહેનનો ફોન આવ્યો હતો અને નિધિબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અગાઉ પોલીસમાં પતિ મારકૂટ કરી ત્રાસ આપતો હોવાની જાણ કરી હતી. પરંતુ ભગીરથ પાછળ જઇને સમજાવી ઘેર લઇ ગયો હતો.આમ ભગીરથ અવારનવાર ત્રાસ આપી મારકૂટ કરતો હોવાથી નિધિબેને આ પગલું ભરી લીધુ હોય તેના ભાઇએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભગીરથ સામે આઇપીસીની કલમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કર્યેા છે. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.આર.રાઠોડ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application