એઇમ્સના નવા ડે.ડાયરેક્ટર તરીકે કર્નલ અંકુર પ્રતાપસિંહે ચાર્જ સંભાળ્યો

  • March 01, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટર પદે કર્નલ અંકુર પ્રતાપસિંહે ચાર્જ સંભાળ્યો છે. આ તકે કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને ડીએચઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત વખતે કલેકટરએ આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા હેલ્થકેર ફેસિલિટી આપવા અને સંશોધન પર ભાર મુક્યો હતો. અને હોસ્પિટલમાં તમામ વિભાગો અને અદ્યતન બિલ્ડીંગની મુલાકાત કરી હતી.

એઈમ્સમાં ઉપયોગી વિવિધ સાધનો, દવાઓનો સ્ટોક તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સુવિધાઓ સહિતની જાણકારી મેળવી હતી. અને રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને સારી સારવાર મળે તેવો આશાવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એઇમ્સના ડે.ડાયરેક્ટર કર્નલ ડો.પુનિત અરોરાની જગ્યા લાંબાસમયથી ખાલી હતી અને ચાર્જમાં ડો.કુલદીપ જીબી હતા. કેન્દ્ર આરોગ્ય મંત્રાલય દ્વારા કર્નલ અંકુર પ્રતાપસિંહનો કાયમી ઓર્ડર ઇન્ચાર્જથી ચાલતી એઇમ્સમાં હવે નિર્ણાયક કામગીરી આગળ વધશે તેમ લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application