રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીના ચકચારી બોગસ દસ્તાવેજ કૌભાંડની લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી દરમિયાન તાજેતરમાં આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ કુલ 17 પૈકી આઠ દસ્તાવેજોને રિવિઝનમાં લઇ નોટિસ ફટકારનાર હોવાનું જાણવા મળે છે. વિશેષમાં આ મામલે આજે બપોરે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હક ચોકસીના બે ઠરાવ તેમજ અન્ય છ બોગસ દસ્તાવેજોની કુલ 10 નોંધ મામલે આજે સાંજ સુધીમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવનાર છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ મામલે તપાસ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરએ હાથ ધરેલી કાર્યવાહીથી કૌભાંડીયા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. આગામી દિવસોમાં વધુ આકરા પગલાં તોળાઇ રહ્યા હોવાના નિર્દેશો મળી રહ્યા છે.
હક ચોકસીના બે ઠરાવ તેમજ અન્ય છ દસ્તાવેજની કુલ 10 નોંધ મામલે કાર્યવાહી: જિલ્લા કલેકટર પ્રભવ જોષી આકરાપાણીએ: કૌભાંડીયા તત્વોમાં ફફડાટ, તોળાતા આકરા પગલાંઆટલા બોગસ દસ્તાવેજો-નોંધ મામલે નોટિસ ઇસ્યુ થશે(1) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ ટી.પી.16 ના સી.સ.નં.320004 માં બોગસ દસ્તાવેજ નં.1464, 1105 તથા 1914 આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવા નોટીસ ઇસ્યુ કરવામાં આવશે.
આટલા બોગસ દસ્તાવેજો-નોંધ મામલે નોટિસ ઇસ્યુ થશે
(2) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ રૈયા ટી.પી.6 ના સી.સ.નં.140 માં બોગસ દસ્તાવેજ નં. 1224 આધારે થયેલ હકકચોકસીનો ઠરાવ રીવીઝનમાં લેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
(3) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.3329/9/અ માં બોગસ દસ્તાવેજ નં.1294 આધારે દાખલ થયેલ કુલ 3 નોંધો રીવીઝનમાં લેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
(4) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.93 માં બોગસ દસ્તાવેજ નં. 1442 આધારે દાખલ થયેલ કુલ 3 નોંધો રીવીઝનમાં રીવીઝનમાં લેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
(5) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ 16/2 ના સી.સ.નં.3741 માં બોગસ દસ્તાવેજ નં.1402 આધારે દાખલ થયેલ કુલ 2 નોંધો રીવીઝનમાં લેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
(6) સીટી સર્વે કચેરી રાજકોટ-1 ના વોર્ડ રૈયા ટી.પી.6ના સી.સ.નં.140માં બોગસ દસ્તાવેજ નં.1403 આધારે દાખલ થયેલ કુલ 2 નોંધો રીવીઝનમાં લેવા નોટીસ ઈસ્યુ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech